રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચેથી ભારતીયોને પાછા લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ચાર મંત્રીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે.
રશિયા અને યુક્રેનના જંગમાં ફસાયા ભારતીયો
ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું
હંગેરીમાંથી તમામ ભારતીયો પરત આવી પહોંચ્યા
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી સોમવારે હંગેરીથી ભારત પાછા આવ્યા છે. ઓપરેશન ગંગા અંતર્ગત હંગેરી બુડાપેસ્ટથી તેમણે 6711 ભારતીયોનું રેસ્ક્યૂ કરાવ્યું છે. આ રેસ્ક્યૂ કરવામાં આવેલા ભારતીયોની અંતિમ બેંચની સાથે સોમવારે તેઓ ઈંડિયા પરત ફર્યા હતા.
ટ્વિટર પર ખુશી જાહેર કરી
કેન્દ્રીય મંત્રીએ ટ્વિટર પર ખુશી જાહેર કરતા લખ્યું કે, બુડાપેસ્ટથી આપણા 6711 વિદ્યાર્થીઓની બેંચની સાથે દિલ્હી પહોંચીને ખૂબ ખુશ છું. આ યુવા જ્યારે પોતાના ઘરે પહોંચશે અને જલ્દી પોતાના માતા-પિતા અને પરિવાર સાથે હશે, ત્યારે તેમના ઘરમાં ખુશી અને ઉત્સાહ તથા રાહતનો માહોલ હશે.
આપને જણાવી દઈએ કે, યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીયો ફસાયા હતા. ત્યાં હાલત ખરાબ થતી જોઈને ફસાયેલા ભારતીયોને કાઢવા માટે કેન્દ્ર સરકારે ઓપરેશન ગંગાની શરૂઆત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન મોદીએ 4 કેન્દ્રીય મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંધિયા, હરદીપ સિંહ પુરી, કિરેન રિજિજૂ અને વીકે સિંહને હંગેરી, રોમાનિયા, સ્લોવાકિયા અને પોલેન્ડ મોકલ્યા હતા. આ દેશ યુક્રેનથી અડીને આવેલા છે. આ મંત્રીઓ ની જવાબદારી યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને આ દેશોની બોર્ડરમાંથી કાઢીને ભારતમાં મોકલવાની હતી. વીકે સિંહે પોલેન્ડમાં મોર્ચો સંભાળ્યો હતો, તો હરદીપ સિંગ પુરીએ હંગેરીમાં કમાન સંભાળી હતી. રોમાનિયામાં સિંધિયા હતા, જ્યારે સ્લોવાકિયામાંથી કિરેન રિજિજૂએ ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
વાયુસેનાની પણ મદદ લેવાઈ
યુક્રેનથી ફસાયેલા ભારતીયોને કાઢવા માટે ઈંડિયન એર ફોર્સની પણ મદદ લેવામાં આવી હતી. ભારતીય વાયુસેનાના હિંડન એરબેસથી સ્પેશિયલ વિમાનોને મોકલીને ઈંડિયંસને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.