જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના આસામને ભારતથી અલગ કરવાના ભડકાઉ નિવેદન પર રાજનીતિ ગરમાઇ છે. વિવાદીત નિવેદન આપવા માટે જાણિતા બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રા બાદ હવે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ શરજિલ પર હુમલો બોલ્યો છે.
શરજિલ ઇમામના વીડિયો પર રાજનીતિ ગરમાઇ
ગિરિરાજ સિંહને શરજિલને 'ગદ્દાર' બતાવ્યા છે
સંબિત પાત્રાએ પણ કહ્યું હતું, ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર
ગિરિરાજ સિંહને શરજિલને 'ગદ્દાર' બતાવ્યા છે. તેઓએ કહ્યું કે, આ ગદ્દારોની વાત સાંભળીને કેવી રીતે માની લઉં કે, એમનુ લોહી સામેલ છે અહીંની (દેશની) માટીમાં ?
ગિરિરાજ સિંહે કહ્યું, 'આ કહે છે કે તમામનું લોહી છે સામેલ અહીની માટી માં...કોઇના બાપનું હિન્દુસ્તાન થોડી છે. આ ગદ્દારોની વાત સાંભળીને કેવી રીતે માની લઉં કે તેમનું લોહી સામેલ છે, અહીંની માટીમાં? કહી રહ્યો છે કે, આસામને ભારતથી અલગ કરી દઇશું. આ પહેલા 'આસામને ભારતથી અલગ કરી દઇશું' વાળા વાયરલ વીડિયો પર બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ એ વીડિયોને શાહીન બાગનો બતાવતા દાવો કર્યો હતો કે, ત્યાં ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે.
ભાજપ નેતા સંબિત પાત્રાએ આ વીડિયોને શાહીન બાગનો બતાવી દઇને દાવો કર્યો કે, ત્યાં ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે. બીજેપીના નેતા સંબિત પાત્રાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓએ કહ્યું કે, પ્રદર્શનની જગ્યા શાહીન બાગ નહીં, પરંતુ દિશાહીન બાગ છે, તૌહિન બાગ છે.
दोस्तों शाहीन बाग़ की असलियत देखें:
१)असम को इंडिया से काट कर अलग करना हमारी ज़िम्मेदारी
२)”Chicken Neck” मुसलमानो का है
३)इतना मवाद डालो पटरी पे की इंडिया की फ़ौज Assam जा ना सके
४)सारे ग़ैर मुसलमानो को मुसलमानों के शर्त पर ही आना होगा
If this is not ANTI NATIONAL then what is? pic.twitter.com/kgxl3GLwx1
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહેલા વ્યક્તિને શરજિલ ઇમામ બતાવાઇ રહ્યા છે, જે જેએનયૂના વિદ્યાર્થી છે. આ વીડિયોમાં તેઓ પૂર્વોત્તર અને આસામને ભારતના નકશા પરથી મિટાવી દેવાની વાત કરી રહ્યા છે.
આ પહેલા બીજેપીએ એક વીડિયો ટ્વિટ કરીને પ્રદર્શનકારી મહિલાઓ પર પૈસા લઇને પ્રદર્શન કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) ના વિરોધમાં પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયાને માનહાનિની નોટિસ મોકલી હતી. મહિલાઓએ અમિત માલવિયાને 1 કરોડ રૂપિયા માનહાનિ નોટિસ મોકલી હતી. તથા માફી માંગવા પણ કહ્યું હતું.