જમ્મુ કાશ્મીર, નોર્થ ઈસ્ટ અને નકસલ પ્રભાવિત વિસ્તારોના સરકારી કર્મચારીઓના ફેમિલી પેન્શનને લઈને મોદી સરકારે એક મોટો ફેરફાર કર્યો છે.
જમ્મુ કાશ્મીર, નોર્થ ઈસ્ટ અને નકસલ પ્રભાવિત વિસ્તારોના સરકારી કર્મચારીઓને મોટી રાહત
કેન્દ્ર સરકારે ગુમ થનાર કર્મચારીઓના ફેમિલી પેન્શનમાં નિયમોમાં કર્યો ફેરફાર
ફરજ દરમિયાન ગુમ થઈ જનાર કર્મચારીઓના પરિવારને મળશે તત્કાળ પેન્શન
અત્યાર સુધી તો સરકાર દ્વારા મૃત જાહેર થવાના કિસ્સામાં જ મળતું હતું ફેમિલી પેન્શન
જમ્મુ કાશ્મીર, નોર્થ ઈસ્ટ અને નકસલ પ્રભાવિત વિસ્તારો રહેતા અને ફરજ દરમિયાન ગુમ થઈ જતા સરકારી કર્મચારીઓના ફેમિલિ પેન્શનમાં સુધારો કરતા કેન્દ્ર સરકારે હવે તેમના ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવારને તત્કાળ ફેમિલી પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ માટે ફેમિલી પેન્શનના નિયમમાં પણ ફેરફાર કર્યો છે.
In a major relief, particularly for government employees serving in militancy affected areas like Jammu and Kashmir, North-East as well as Naxal prone pockets, the Centre relaxed family pension rules for missing central government employees: Ministry of Personnel pic.twitter.com/uNTTICmB0h
પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડો.જિતેન્દ્ર સિંહે એવું જણાવ્યું કે જે વિસ્તારોમાં કર્મચારીઓ ગુમ થવાની વારંવાર ખબરો આવે છે તેવા વિસ્તારોના કર્મચારીઓ માટે આ મોટી રાહત છે. તેમણે કહ્યું કે હિંસા પ્રભાવિત વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓના કિસ્સામાં તેમનામાં વિશ્વાસ ભરવા તથા તેમના પરિવારનું રક્ષણ કરવા માટે ફેમિલી પેન્શનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો કોઈ સરકારી સેવક કે કર્મચારી ગુમ થઈ જાય તો તેનો પગાર, ફેમિલી પેન્શન, નિવૃતી ગ્રેજ્યુઈટી, રજા પગાર સહિતના તમામ લાભો તેના પરિવારને આપી દેવામાં આવશે.
શું હતો અગાઉનો નિયમ
અગાઉના નિયમો અનુસાર, જો ફરજ દરમિયાન કર્મચારી ગુમ થઈ જાય તો તેના પરિવારને ફેમિલી પેન્શન ત્યાં સુધી નહોતું મળતું કે જ્યાં સુધી સરકાર તેમને મૃત જાહેર ન કરે અથવા તો ગુમ થયાના સાત વર્ષ પુરા ન થયા હોય.
શું છે નવો નિયમ
સરકારના નવા નિયમ અનુસાર, જો ફરજ દરમિયાન કોઈ કર્મચારી ગુમ થઈ જાય તો તેવા કર્મચારીનું પેન્શન તત્કાળ તેના પરિવારને આપી દેવામાં આવશે. જો કોઈ કિસ્સામાં ગુમ થયેલો કર્મચારી મળી આવે અને નોકરી પર પાછો હાજર થઈ જાય તો તેના પગારમાંથી તે રકમ કાપી લેવામાં આવશે.