કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ શનિવારે કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને AIIMSના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. અર્જુન મેઘવાલ ચોથા કેન્દ્રીય મંત્રી છે જે કોરોના પોઝિટિવ છે.
કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ કોરોના પોઝિટિવ
કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે ટ્વિટ કરીને આપી માહિતી
સંક્રમિત થનારા ચોથા કેન્દ્રિય મંત્રી
કેન્દ્રીય મંત્રી મેઘવાલને કોરોના પોઝિટિવ છે પરંતુ તેમને સામાન્ય લક્ષણો છે. આ અંગે કેન્દ્રીય મંત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ કોરોના પોઝિટિવ હોવાની માહિતી અને AIIMSમાં દાખલ થવાની પુષ્ટિ કરી છે. સાથે જ તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને પોતાનું ધ્યાન રાખવા પણ કહ્યું છે.
મેઘવાલે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, કોરોનાના શરૂઆતી લક્ષણો આવવા પર મે ટેસ્ટ કરાવ્યો અને પહેલી તપાસમાં નેગેટિવ આવ્યા બાદ આજે બીજી તપાસમાં પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે પરંતુ ડોકટરની સલાહ પર AIIMSમાં દાખલ થઇ છું. મારૂ નિવેદન છે કે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.
कोरोना के शुरूआती लक्षण आने पर मैंने टेस्ट करवाया व पहली जाँच नेगेटिव आने के बाद आज दूसरी जाँच पॉजिटिव आई है।
मेरी तबीयत ठीक है परन्तु चिकित्सकीय सलाह पर AIIMS में भर्ती हूँ। मेरा निवेदन है कि जो लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया अपने स्वास्थ्य का ध्यान रखे ।
બીકાનેરના બીજેપી સાંસદ અર્જુન રામ મેઘવાળે શુક્રવારે એક પ્રાઈવેટ કંપનીનો પાપડ લોન્ચ કરતા કહ્યું કે આ પાપડથી કોરોના સામે લડવા માટે એન્ટીબોડી ડેવલપ થશે.
મહત્વનું છે કે, મેઘવાલ હાલ કેન્દ્રીય ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી અને સંસદીય કાર્ય મંત્રી છે. તેઓ રાજસ્થાનના બીકાનેર લોકસભા બેઠક પરથી સાંસદ છે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૈલાશ ચૌધરી કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.