નવી દિલ્લી: ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનંતકુમારનું નિધન થયું છે. બેંગાલુરૂની હોસ્પિટલમાં અનંતકુમારનું નિધન થયું છે. તેઓ કેન્સરની બીમારીથી પીડિતા હતા. સારવાર માટે તેઓ બેંગાલુરૂની હોસ્પિટલમાં હતા ત્યારે સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે.
અનંત કુમાર કર્ણાટકમાં બેંગ્લોર સાઉથથી સાંસદ હતા એ કેન્દ્ર સરકારમાં સંસદીય કાર્યમંત્રી હતા. એમના પાર્થિવદેહને સવારે 9 વાગ્યે બેંગ્લોરની નેશનલ કોલેજ ગ્રાઉન્ડ પર રાખવામાં આવશે જ્યાં એમને લોકો શ્રદ્ધાંજલિ આપી શકે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને અનંત કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એમને લખ્યું છે કે મહત્વના સહયોગી અને દોસ્તના નિધનથી દુખી છું. અનંત કુમારના પરિવાર અને સમર્થકો માટે સંવેદનાઓ. એમને કર્ણાટકમાં પાર્ટીને મજબૂત કરી.
Extremely saddened by the passing away of my valued colleague and friend Shri Ananth Kumar Ji. He was a remarkable leader who entered public life at a young age and went on to serve society with utmost diligence and compassion. He will always be remembered for his good work.
તેઓ છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતા. બેંગ્લોર સાઉથથી સતત 6 વખત જીત પ્રાપ્ત કરનાર અનંત કુમારને ફેફસાનું કેન્સર હતું. એમની સારવાર લંડન અને ન્યૂયોર્કમાં પણ થઇ.
અનંત કુમારના નિધન પર મંત્રી નિર્મલા સીતારમણે પણ દુખ વ્યક્ત કર્યું. એમને ટ્વિટ કરતાં લખ્યું કે આ જાણીને ખૂબ દુખ થયું કે અનંત કુમાર આપણી વચ્ચે નથી. એમને સમગ્ર જીવન ભાજપની સેવા કરી. બેંગ્લોર હંમેશા એમના દિલ અને દિમાગમાં હતું.
Deep sense of grief on hearing that Shri Ananth Kumar is no more with us. Served BJP all along. Bengaluru was in his head and heart always. May God give his family the strength to bear with this loss: Defence Minister Nirmala Sitharaman pic.twitter.com/iH9cwHGaqS