કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલમા પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. રાજ્યમાં આગામી વર્ષમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આ મુલાકાત ઘણી મહત્વમાં માનવામાં આવી રહી છે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ સ્થાનીક નેતાઓ સાથે મળીને આગામી ચૂંટણીને લઇને રણનીતિ તૈયાર કરશે. રાજ્યમાં હાલ ભાજપ કાર્યકરોમાં આ મુલાકાતને લઇને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાત પહોંચ્યા બાદ સૌ પ્રથમ પૂર્વ મિદનાપુરના પટાસપુરના ભાજપ બૂથ ઉપાધ્યક્ષ મદન ઘોરાઇના પરિવારજનોને સાથે મુલાકાત કરી. આ અંગેની જાણકારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાતે જ ટ્વિટ કરી આપી. જેમાં કેટલાંક ફોટો પણ શેર કરવામાં આવ્યાં છે.
અમિત શાહે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે કોલકાતામાં આપણા શહીદ બૂથ ઉપાધ્યક્ષ મદન ઘોરાઇના પરિવાર સાથે મુલાકાત કરી. હું તેમના બહાદુર પરિવારને નમન કરુ છું. પશ્ચિમ બંગાળમાં અત્યાચાર અને અન્યાય સામેની લડાઇ લડતા જેમણે પોતાનું બલિદાન આપ્યું છે ભાજપ હંમેશા તેમના કાર્યકર્તાઓનું ઋણી રહેશે.
Met with the family of our martyred Booth Vice President Madan Ghorai in Kolkata.
I bow to his braveheart family.@BJP4India will always remain indebted to our karyakartas who have given their supreme sacrifice while fighting against atrocities and injustice in West Bengal. pic.twitter.com/feOTJVbwhi
આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે રાતથી બે દિવસીય મુલાકાત પર કોલકાતા પહોંચ્યા હતા. જ્યાં પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ, રાષ્ટ્રિય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકલ રાયે તેમનું સ્વાગત કર્યું. અમિત શાહે આજે BSFના હેલિકોપ્ટરથી બાંકુરા જશે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ મિદાનપુરના પટાસપુરના ભાજપ બૂથ ઉપાધ્યક્ષ મદન ઘોરાઇની કથિત રીતે પોલીસ કસ્ટડીમાં મોતને લઇને સીબીઆઇ તપાસની માંગણીને લઇને પ્રદેશ ભાજપનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી ચૂક્યું છે.