દેશના લઘુમતિઓ ના કરે ચિંતા. CAAના કારણે લઘુમતિઓની નહીં છીનવાય નાગરિકતા. આ દાવો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યો છે. ઓડિશામાં એક રેલીને સંબોધતા અમિત શાહે વિપક્ષ પર પણ ગંભીર આરોપ લગાવ્યાં અને કહ્યું કે સપા, કોંગ્રેસ અને મમતા બેનર્જી CAAનો વિરોધ કરી દેશમાં ભ્રમ ફેલાવી રહ્યાં છે.
ઓડિશામાં ગૃહમંત્રી અમિત શાહનું CAA પર નિવેદન
CAAથી કોઈની પણ નાગરિકતા રદ નહી થાય: અમિત શાહ
મુસ્લિમ ભાઈ-બહેનોએ ચિંતા કરવાની જરૂર નહી
અમિત શાહે વધુમાં કહ્યું કે, અમે CAAમાં એક પણ મુસ્લિમ કે લઘુમતિઓની નાગરિકતા નહીં જવા દઇએ. CAA નાગિકતા લેવાનો નહીં પણ નાગરિકતા આપવાનો કાયદો છે. આ સાથે જ શાહે દાવો કર્યો કે નાગરિકતા એવા લોકોને અપાશે જેઓ ભાગલા સમયે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રહી ગયા હતા.
અમિત શાહે જનતાને પૂછ્યા સવાલ
તેમણે રેલીને સંબોધન કરતા લોકોને પૂછ્યું હતું કે, શું પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના પીડિત નાગરિકોને નાગરિકત્વ આપવું જોઈએ નહીં? શું તેમના માનવાધિકાર જોવા જોઈએ નહીં? આના પર, જનતાએ હા પાડી.
અમિત શાહે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે લોકોને નાગરિકતા આપવા અને માનવઅધિકારોની રક્ષા કરવા માટે CAA લાવ્યા છે. જેના પર ધર્મના આધારે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે.
અમે સત્ય માટે પગલા ભરવાથી ડરતા નથી
તેમણે લોકોને અપીલ કરી કે તમે બહાર આવો અને ખોટું ફેલાવનારાઓને પૂછો કે સીએએમાં નાગરિકત્વ છીનવાની જોગવાઈ ક્યાં છે? શાહે કહ્યું કે અમે સત્ય માટે પગલા ભરવાથી ડરતા નથી.
Odisha: Home Minister Amit Shah, Union Minister Dharmendra Pradhan and other BJP leaders at a public meeting in Bhubaneswar earlier today pic.twitter.com/6iLnx2NJru
આ દરમિયાન અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, 'મોદી સરકારે છેલ્લા 70 વર્ષથી અટકેલા વિવાદાસ્પદ મુદ્દાઓને ઉકેલવા માટે કામ કર્યું છે. આ પણ શક્ય બન્યું છે કારણ કે તમે મોદી સરકારને તાકાત આપી છે. લોકોને સંબોધન કરતાં તેમણે પૂછ્યું કે શું જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવી જોઈએ. તેના જવાબમાં જનતાએ હા પાડી.