દેશમાં હૈદરાબાદ અને ઉન્નાવ રેપ કેસને લઇને જ્યાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નેતા રાજનીતિ કરી રહ્યા છે. મોદી સરકાર (Modi Government) એ મહિલાઓની સુરક્ષાને લઇને મોટો નિર્ણય લીધો છે. સરકારનું કહેવુ છે કે, દેશભરમાં મહિલાઓ સાથે જોડાયેલા ગૂનાના મામલાઓમાં ઝડપી ચૂકાદો લાવવા માટે વ્યવસ્થા બનાવવી જરૂરી છે.
દેશમાં હૈદરાબાદ અને ઉન્નાવ રેપ કેસને લઇને લોકોમાં આક્રોશ છે
બળાત્કાર સાથે જોડાયેલા મામલાઓમાં તપાસ 2 મહિનાઓમાં પૂર્ણ થવી જોઇએ
રવિશંકર પ્રસાદે કહ્યું, તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખીશ
બળાત્કાર સાથે જોડાયેલા મામલાઓમાં તપાસ 2 મહિનાઓમાં પૂર્ણ થવી જોઇએ. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad)એ શનિવારે કહ્યું કે દેશમાં મહિલાઓ સાથે જોડાયેલા ગૂનાના મામલાઓમાં ઝડપી ચૂકાદો લાવવા માટે વ્યવસ્થા બનાવવી ખૂબ જ જરૂરી છે.
Union Law Minister Ravi Shankar Prasad: I am going to write to Chief Ministers of all states and Chief Justices of High Courts to appeal that investigation in rape cases involving minors should complete within 2 months. I have issued necessary directions to my department as well. https://t.co/sSTJV4UCr6
તેઓએ કહ્યું કે દેશભરમાં 1023 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. તેમાંથી 400 પર સહમતિ બની ગઇ છે અને 160થી વધારે પહેલા જ શરૂ થઇ ચૂકી છે. સાથે જ 704 ફાસ્ટ ટ્રેક કોર્ટ પાઇપ લાઇનમાં છે.
કાયદા મંત્રીએ આગળ કહ્યું કે હું તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખવા જઇ રહ્યો છું કે, સગીર સાથે બળાત્કારના મામલાઓમાં તપાસ 2 મહીનાની અંદર પૂર્ણ થાય. મેં મારા વિભાગને પણ જરુરી દિશા-નિર્દેશ આપ્યા છે.