કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી વાર્ષિક રિપોર્ટ 2020-21માં અનેક બિંદુઓ પર આંકડા આપ્યા છે. તેમાંથી સીએએને લઈને નક્સલી હુમલામાં ઘટાડો, વિદેશી મુલાકાત, લોકડાઉનમાં પગપાળા યાત્રા સહિત કેટલાય આંકડા આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયનો વાર્ષિક રિપોર્ટ
અનેક બિંદુઓના આંકડા સામે આવ્યા
સીએએ, લોકડાઉન સહિતની વિગતવાર વાત કરી
કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી વાર્ષિક રિપોર્ટ 2020-21માં અનેક બિંદુઓ પર આંકડા આપ્યા છે. તેમાંથી સીએએને લઈને નક્સલી હુમલામાં ઘટાડો, વિદેશી મુલાકાત, લોકડાઉનમાં પગપાળા યાત્રા સહિત કેટલાય આંકડા આપવામાં આવ્યા છે.
CAA
સીએએ 2019માં બનાવામાં આવ્યો હતો, પણ તેને હજૂ સુધી લાગૂ કરવામા આવ્યો નથી. તેનો ઉદ્દેશ્ય હિન્દુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમુદાયને એ સભ્યોને નાગરિકતા આપવાની છે, જેમને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હોય.
નક્સલી હિંસામાં ઘટાડો
વર્ષ 2013ની સરખામણીએ વર્ષ 2020માં દેશમાં નક્સલીઓ તરફથી થતી હિંસામાં 41 ટકા અને તેનાથી થતાં મોતમાં 54 ટકાનો ઘટાડો આવ્યો છે. નક્સલી હિંસાની ઘટનાઓમાં ખૂબ ઘટાડો થયો છે. તથા તમામ માઓવાદી હિંસાની ઘટનાઓમાંથી 88 ટકા ફક્ત 30 શહેરોમાં થઈ છે.
વિદેશી યાત્રા
ગૃહમંત્રાલયે કહ્યું છે કે, દેશમાં 2020માં 32.79 લાખથી વધારે વિદેશીઓએ ભારતની મુલાકાત લીધી હતી. આ વર્ષે દેશમાં કોવિડ મહામારીના કારણે લોકડાઉન અને અન્ય પ્રતિબંધો પણ લાગ્યા હતા. એક એપ્રિલ 2020થી 31 ડિસેમ્બર 2020 દરમિયાન ભારત આવતા વિદેશીઓમાંથી 61,000થી વધારે અમેરિકી અને 4751 પાકિસ્તાની નાગરિકો સામેલ હતા. ગૃહમંત્રાલયના વાર્ષિક રિપોર્ટ અનુસાર આ સમયગાળમાં બાંગ્લાદેશથી 37,774 અને બ્રિટેનથી 33,323 તથા કેનેડાથી 13,707 લોકો આવ્યા હતા.
લોકડાઉનમાં પગપાળા યાત્રા
કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી વાર્ષિક રિપોર્ટ 2020-21માં લોકડાઉન 2020ની વાત વિગતવાર જણાવી છે. દેશમાં અનેક જગ્યાએ પ્રવાસી મજૂરોને અચાનક પલાયન કરવાથી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયે પ્રવાસીઓ યોગ્ય વ્યવસ્થા કરવા સંબંધમાં 27 માર્ચ 2020ના રોજ એક એડવાઈઝરી જાહેર કરી હતી અને પછી 28 માર્ચ 2020ના જોર ફરી વાર જાહેર કરી હતી. એડવાઈઝરીમાં રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું હતું કે, અમુક લોકો રાજમાર્ગો પર ચાલી રહ્યા હતા. તેથી માર્ગો પર ટેંટ આવાસ લગાવા પર પણ વિચાર કરી શકાય. જેથી સરળતાથી તેઓ પોતાના ઘરે પહોંચી શકે. અસ્થાયી આશ્રય સ્થાનમાં એ સાવધાની રાખવામાં આવે કે, તે વ્યક્તિ લોકડાઉનના આદેશ લાગૂ રહેવા સુધી શિબિરમાં રોકાઈ શકે. દેશભરમાં 41000 રાહત શિબિર અને આશ્રય સ્થળ સ્થાપિત કરવામા આવ્યા હતાત અને ત્યાં 41 લાખ લોકોથી પણ વધારે લોકોને રાખવામા આવ્યા હતા.
30 હજાર ખાવાની શિબિરો બનાવામાં આવી
17 લાખ મજૂરો પોતાના માલિક સાથે ઔદ્યોગિક એકમોમાં રોકાયેલા હતા. જ્યાં તેમને આશ્રય અને ભોજન આપવાની વ્યવસ્થા કરવામા આવી બતી. ફસાયેલા પ્રવાસી મજૂરો અને અન્ય વ્યક્તિઓને બસો દ્વારા તેમના મૂળ સ્થાન પર મોકલવામાં આવ્યા તેના માટે 29 એપ્રિલ 2020ના રોજ એક આદેશ જાહેર કરવામા આવ્યો હતો. 1 મે 2020ના રોજ ફસાયેલા લોકોને અવરજવર કરવામાં માટે ટ્રેનથી જવા માટે વિશેષ શ્રમિક ટ્રેન ચલાવીને તેમને ગંતવ્ય સ્થાન પર મોકલવા માટે રેલ મંત્રાલયે રાજ્ય સરકારો પાસેથી પ્રાપ્ત અનુરોધના આધાર પર એક મે 2020થી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવી હતી.
કંટ્રોલ રૂમમાં કોલ આવ્યા
25 માર્ચ 2020થી 31 ડિસેમ્બર 2020ની વચ્ચે ગૃહમંત્રાલયે કંટ્રોલ રૂમમાં કુલ 13034 કોલ્સનું સમાધાન લાવ્યું જેમાંથી 854 કોલ જરૂરી વસ્તુઓ અને સેવા સંબંધિત હતા. 11377 કોલ ભોજન અને આશ્રય સંબંધિત હતા. તો વળી 129 કોલ પૂર્વૌત્તર રાજ્યો સંબંધિત હતા અને 742 કોલ અન્ય મુદ્દા સંબંધિત હતા.
2 મે 2020થી 31 ડિસેમ્બર 2020 સુધી 295327 ફસાયેલા વ્યક્તિઓ માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં અવરજવર વિશે ફસાયેલા વ્યક્તિઓને કુલ 32946 કોલ મળ્યા હતા, જેમાંથી 271219 મજૂરો માટે 5388 વિદ્યાર્થીઓને 1539 પર્યટકો માટે અને 17052 કોલ અન્ય વ્યક્તિઓ માટે હતા. તે ઉપરાંત 296 કોલ એ લોકો એ લોકોના હતા જે વિદેશોમાં ફસાયેલા હતા. અને 265 કોલ એવા હતા જે ભારતથી વિદેશ જવા માગતા હતા. તેને લઈને ગૃહમંત્રાલયે કંટ્રોલ રૂમ અને ક્ષેત્રિય અધિકારીઓને પ્રભાવકારી ઢંગથી સ્થિતિને કંટ્રોલ કરી હતી.
અર્ધ સૈનિક દળમાં મહિલાઓની સંખ્યા
દેશમાં તમામ અર્ધસૈનિક દળોમાં મહિલાઓની કુલ સંખ્યા 27182 છે. જે કેન્દ્રીય અર્ધસૈનિક દળમાં કુલ ટકાવારીના 2.70 ટકા છે.
જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી અને આતંકવાદ
રિપોર્ટમાં જણાવ્યા અનુસાીર જમ્મુ કાશ્મીરમાં વર્ષ 2019માં ઘુસણખઓરીની 216 કોશિશો થઈ હતી, જે વર્ષ 2020માં ફક્ત 99 થઈ છે. મંત્રાલયનું અનુમાન છે કે, વર્ષ 2019માં 138 વાર અનુમાનિત ઘુસણખોરી થઈ જ્યારે 2020માં અનુમાનિત ઘુસણખોરી 51 વાર થઈ. વર્ષ 2020માં આતંકવાદની 244 ઘટનાઓ થઈ જેમાં 62 સુરક્ષાકર્મીઓ અને 37 નાગરિકોના માર્યા ગયા, જ્યારે 221 આતંકવાદી માર્યા ગયા, વર્ષ 2019માં આ આંકડો 594 ઘટનાઓનો હતો, જેમાં 80 સુરક્ષાકર્મી અને 39 નાગરિકો જ્યારે 157 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ કાશ્મીરમાં 90ના દાયકામાં આતંકવાદ શરૂ થયા બાદ 14091 નાગરિકો અને 5356 સુરક્ષાકર્મીઓ વર્ષ 2020 સુધીમાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.