રાજધાની દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન વધુને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આવામાં ગૃહ મંત્રાલયે તાત્કાલિક બેઠક બોલાવી હતી.
ખેડૂત આંદોલન ઉગ્ર બનતા એક્શન મોડમાં આવ્યું ગૃહ મંત્રાલય
અમિત શાહના નિવાસ સ્થાને યોજાઇ બેઠક
હોબાળો થનારી જગ્યાઓ પર ઇન્ટરનેટ સેવા કરાઇ બંધ
દિલ્હી પોલીસ દ્વારા આજે એક માહિતી અપાઈ હતી તે પ્રમાણે આજની ટ્રેક્ટર પરેડનીઓ હિંસા દરમિયાન અલગ અલગ જગ્યાએ કુલ 83 જેટલા પોલીસ જવાનો ઘાયલ થયા હતા, દિલ્હી પોલીસે કહ્યું હતું કે ખેડૂતોએ તેમનો રુટ બદલ્યો હતો અને બેરીકેડસ તોડીને રાજધાનીમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેને રોકવા જતાં હિંસા થઈ હતી, અને જાહેર સંપત્તિને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું.
83 Police personnel were injured after being attacked by agitating farmers in Delhi today: Delhi Police
Legal action will definitely be taken against those who assaulted the police personnel during the farmers' tractor rally today: Alok Kumar, Joint Commissioner of Police, Delhi pic.twitter.com/vxJTjSltBa
લાલ કિલ્લા પર નિશાન સાહેબ ધ્વજ ફરકાવાયા બાદ RAFની ટુકડી મોકલવામાં આવી છે અને ધ્વજને પણ ઉતારવામાં આવ્યા બાદ હવે આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શનમાં આવ્યું છે અને તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં અમિત શાહ અને ગૃહ સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ સામેલ છે. સૂત્રોની મળતી માહિતી અનુસાર, વધુ પોલીસ દળ આંદોલનને ઠારવા માટે ઉતારવામાં આવી શકે છે.
હોબાળો થનારી જગ્યાઓ પર ઇન્ટરનેટ સેવા કરાઇ બંધ
દિલ્હીમાં હોબાળો થનારી ટિકેરી બોર્ડર, સિંઘુ બોર્ડર, ગાઝીપુર, મુંકરબા ચોક, નાંગોલાઇ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા કરાઇ બંધ
ખેડૂતોને દિલ્હી પોલીસની અપીલ
દિલ્હીમાં ઉપદ્રવીઓના ઘર્ષણ મુદ્દે પોલીસે ખેડૂતોને શાંતિથી નક્કી કરેલા રૂટ પર રેલી યોજવા માટેની અપીલ કરી હતી, સાથે જ કહ્યું કે, કેટલાક ઉપદ્રવીઓએ માર્ગ બદલ્યો હતો અને પ્રજાસત્તાક દિન હોવાથી અમે શાંતિથી સમજાવ્યા છે.
Union Home Minister Amit Shah (file photo) takes stock of law and order situation in Delhi from senior Home Ministry officials: Sources pic.twitter.com/2ZJpbKCrsd
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આગેવાન રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, અમારા લોકો રિંગ રોડમાં નથી ગયા અને અમે તો અમે શાંતિથી રેલી યોજી રહ્યા છીએ. આ ઉપદ્રવ કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા આંદોલનને ખરાબ કરવાના હેતુથી ફેલાવવામાં આવી રહ્યો છે.
જે લોકોએ તોડફોડ કરી એ અમારા ખેડૂતો નહીં : ટિકૈત
રાકેશ ટિકૈતે વધુમાં જણાવ્યું હતું કે, ઉપદ્રવી લોકો અમારા ખેડૂત નથી. અમે શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી રહ્યા હતા અને પોલીસે નક્કી કરેલા રૂટ પર જ હતા. આંદોલનકારી ખેડૂતોએ કોઈ તોડફોડ નથી કરી. જે લોકોએ તોડફોડ કરી એ અમારા ખેડૂતો નહીં.
Public properties have also been damaged. I appeal to the protesting farmers not to indulge in violence, maintain peace and return through the designated routes: Delhi Police Commissioner SN Shrivastava to ANI pic.twitter.com/YAoFgHXj8v
યોગેન્દ્ર યાદવે કહ્યું- હિંસામાં અમારો કોઇ રોલ નથી
તો આ તરફ ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે દિલ્હીમાં થયેલી હિંસા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હિંસામા ખેડૂતોનો કોઈ રોલ નથી. કેટલાક અસામાજિક તત્વો હિંસા કરી રહ્યા છે. તો આ સાથે જ તેમણેખેડૂતોને હિંસાના માર્ગે ન જવાની અપીલ પણ કરી હતી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું- અંતે તો નુકસાન દેશનું જ થશે
કૃષિ કાયદાને લઈને વારંવાર મોદી સરકારને ઘેરી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજની દિલ્હીમાં બનેલી ખેડૂતોની રેલી અને પોલીસ ઘર્ષણની ઘટનાને લઈને ફરી એકવાર ટ્વીટ કર્યું હતું. રાહુલે ટ્વીટ કરીને કહ્યું હતું કે હિંસા કોઇ સમસ્યાનું સમાધાન નથી. હિંસામાં કોઇને ઇજા થઇ શકે છે. હિંસાથી આપણા દેશનું જ નુકસાન થશે. સાથે જ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દેશહિત માટે કૃષિ વિરોધી કાયદો પાછો લેવો જોઇએ.
પોલીસ દ્વારા છોડાયા ટીયર ગેસ
પૂર્વ અને ઉત્તર પૂર્વ દિલ્હીથી મધ્ય દિલ્હી તરફ જતા તમામ રસ્તાઓ પોલીસે બંધ કરી દીધા છે. કોઈ પરિવહનની મંજૂરી નથી. તે જ સમયે, આઈટીઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલુ છે. પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ ચલાવવામાં આવી રહ્યા છે. ખેડુતો હજી ઉભા છે.
પોલીસે કર્યો લાઠી ચાર્જ
પોલીસે લાલ કિલ્લા અને ઇન્ડિયા ગેટ તરફ જતા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે. આ સાથે અશ્રુ ગેસના શેલ પણ સતત છોડવામાં આવી રહ્યા છે. પોલીસે હાલ ખેડુતોને પાછળ ધકેલી દીધા છે, પરંતુ ખેડુતો હજી પણ આઇટીઓ પર ઉભા છે. પ્રજાસત્તાક દિનની સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ સાથે ખેડૂતોની સંખ્યા પણ વધી રહી છે.
ITO વિસ્તારમાં બસના કાચ ફોડાયા
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ ઉગ્ર બની છે. આ દરમિયાન ITO વિસ્તારમાં ઉપદ્રવીઓએ બસના કાચ તોડ્યા હતા. પોલીસ પર કેટલાક ઉપદ્રવીઓએ હુમલો પણ કર્યો. દિલ્હીના અનેક વિસ્તારોમાં ખેડૂતો દાખલ થયા છે. અલગ અલગ સ્થળોએ ખેડૂત-પોલીસ વચ્ચે માથાકૂટ થઈ છે. તો કેટલાક મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે.