ભારતમાં કોરોના વાયરસના સતત વધતાં કેસના કારણે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા અધિકારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર
ગૃહમંત્રાલયમાં 50 ટકા અધિકારીઓને ઘરેથી કામ કરવા અનુમતિ
કોરોના વાયરસની ગાઈડલાઇનનું પાલન કરવા પણ આદેશ
ગૃહમંત્રાલયનો નિર્ણય
કોરોના વાયરસના સતત વધતાં કેસને જોતાં કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલના 50 ટકા કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. મંત્રાલયમાં અવર સચિવ સ્તર સુધીના અધિકારીઓને ઘરેથી જ કામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ગૃહમંત્રાલયના અવર સચિવ અથવા તેનાથી સમકક્ષ અને તેની નીચલી કક્ષાના આધિકારીઓને ઘરેથી જ કામ કરવા માટે અનુમતિ આપવામાં આવી છે. આ સિવાય કનેટનમેન્ટ ઝોનમાં આવતા કર્મચારીઓને પણ ઓફિસમાંથી છૂટ આપવામાં આવી છે.
અધિકારીઓને આપવામાં આવી સૂચના
મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ પત્રમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત વિભાગના પ્રમુખ કાર્યાલયમાં હાજરી માટે કર્મચારીઓની સૂચિ તૈયાર કરવામાં આવશે. ઉપ સચિવ તથા તેની ઉપરના તમામ અધિકારીઓ નિયમિત રૂપથી ઓફિસ આવશે.
આ સિવાય ગૃહમંત્રાલય માં હવેથી બધા જ કર્મચારીઓ જુદા જુદા સમય પર ઓફિસ આવશે જેથી લિફ્ટ અને કોરિડોરમાં ભીડને ઓછી કરી શકાય. આ માટે વિભાગના પ્રમુખ રોસ્ટર સિસ્ટમ ડેવલપ કરશે.
વર્ક ફ્રોમ હૉમ કરનારા તમામ કર્મચારીઓ ટેલિફોન અથવા અન્ય ઈલેક્ટ્રોનિક માધ્યમથી ઓફિસથી જોડાયેલા રહેશે અને આ સિવાય જે કર્મચારીઓ ઓફિસ આવે છે તે બધાએ કોરોના વાયરસની ગાઈડલાઈનનું કડકપણે પાલન કરવાનું રહેશે.
કોરોના વાયરસ કેસ અપડેટ
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને દૈનિક કેસના આંકડામાં ખૂબ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે હવે કેસનો આંકડો બે લાખને પાર થઈ ગયો છે. આજે કોરોના વાયરસના નવા 2,17,353 કેસ સામે આવ્યા છે જ્યારે 1,18,302 લોકો સાજા થયા છે. 24 કલાકમાં ભારતમાં 1,185 લોકોના મોત નિપપજ્યા છે.