કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દિલ્હીમાં વસ્તી ગણતરીના બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વસ્તી ગણતરીની આખી ઇમારત ગ્રીન બિલ્ડિંગ હશે. ભારતમાં ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ અપનાવવાની જરૂર છે.
દિલ્હીમાં વસ્તી ગણતરીના બિલ્ડિંગનો કર્યો શિલાન્યાસ
વસ્તી ગણતરીની ઈમારત ગ્રીન બિલ્ડિંગ હશે
2021માં વસ્તી ગણતરી માટે થશે મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ
2021માં જનગણના માટે થશે મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ
અમિત શાહે જણાવ્યું હતું કે પ્રથમ વસ્તી ગણતરી 1865માં કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે 16મી વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આજે વસ્તી ગણતરી ઘણા ફેરફારો અને નવી પદ્ધતિઓ પછી ડિજિટલ થઈ રહી છે. 2021માં યોજાનારી વસ્તી ગણતરીમાં અમે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરીશું.
Union Home Minister, Amit Shah: Population census is not a boring exercise. It is an exercise that helps to provide people the benefits of the government schemes. National Population Register (NPR) will help government solve many issues in the country. pic.twitter.com/9pcucorhaR
ડિજિટલ ડેટાથી વિશ્લેષણમાં મળશે મદદ
શાહે કહ્યું કે વસ્તી ગણતરીના ડિજિટલ ડેટાનો ઉપયોગ ઘણા પ્રકારના વિશ્લેષણ માટે કરી શકાય છે. વસ્તી ગણતરી દેશના સામાજિક પ્રવાહને ગોઠવવા, દેશના છેલ્લા વ્યક્તિના વિકાસ અને દેશના ભાવિ કાર્ય માટેનો આધાર છે. ગૃહ પ્રધાને કહ્યું કે, નરેન્દ્ર મોદી 2014માં દેશના વડા પ્રધાન બન્યા પછી આપણી વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવવાનું શરૂ થયું. દેશને સમસ્યાઓથી મુક્ત કરવા માટે આ પ્રકારનું આયોજન 2014 પછી શરૂ થયું હતું. આનાથી વસ્તી ગણતરીના રજિસ્ટરનો સાચો ઉપયોગ કરવાની શરૂઆત થઈ.