ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ આગામી 21 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના દિવસે વડોદારની મુલાકાત આવશે. ગૃહમંત્રીના આગમનને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
ટ્રમ્પના પ્રવાસ પહેલા અમિત શાહ આવશે ગુજરાત
21 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના દિવસે વડોદરા આવશે
ગૃહમંત્રીના આગમનને લઇ તંત્રની તૈયારી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 21 ફેબ્રુઆરીથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ 24મી એ અમદાવાદ આવી રહ્યાં છે. અમિત શાહના આગમન સમયે સૂરસાગર તળાવ ફરેત 1 હજાર સુરક્ષાકર્મીઓ ખડેપગે રહેશે. આ સાથે જ તળાવની ચારેબાજુ 100 હાઇરાઇઝ પોઇન્ટ ગોઠવાશે.
અમિત શાહના આગમનને લઇને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે તળાવ ફરતે લારી-ગલ્લા, કેબિનનું દબાણ ન કરવા સૂચના અપાઇ છે. જ્યારે જાહરેનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે મહાશિવરાત્રીના દિવસે ગૃહમંત્રી અમિત શાહને શિવજીની મહાઆરતીમાં જોડાવવા મંદિરના ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલું આમંત્રણ સ્વીકાર્યું હતું. જેના કારણે અમિત શાહના આગમનને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 21મીએ વડોદરામાં સુરસાગર તળાવનું લોકાર્પણ માટે અપાયેલું નિમંત્રણ અપાયું હતું. આ તળાવ 35 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં સુરસાગર તળાવ આવેલું છે.