સમગ્ર ભારતભરમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે. સેલિબ્રિટિથી લઈને નેતાઓ સુધી કોરોના પહોંચી ગયો છે. તેવામાં હવે દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે હવે ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાનો શિકાર બન્યા છે. આ અંગે તેમણે ખુદ ટ્વીટ કરીને માહિતી આપી હતી.
ભારતના ગૃહપ્રધાન અમિત શાહ કોરોના પોઝિટિવ
સેલિબ્રિટીથી લઈ રાજનેતા બની રહ્યા છે કોરોનાનો શિકાર
ટ્વીટરથી અમિત શાહે આપી માહિતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત થયા છે. ડૉક્ટરોની સલાહ મુજબ હાલ તેઓ મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા છે. ટ્વીટ કરીને અમિત શાહે આ મામલે માહિતી આપી હતી. તેમજ તેમના સંપર્કમાં આવનાર સૌને આઈસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા વિનંતી કરી છે. ગૃહમંત્રી અમિત શાહ કોવિડ 19ના આઉટબ્રેકની શરૂઆતથી જ સતત બેઠકો કરી રહ્યા છે અને મોનિટરિંગમાં વ્યસ્ત છે. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સ્થિતિ વધુ વણસી હોવાથી તેઓ અંગત રીતે સતત નજર રાખી રહ્યાં હતા. આ ઉપરાંત ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકો યોજીને સતત કોવિડ-19ની પરિસ્થિતિ વિશે અપડેટ લેતા હતા. લૉકડાઉન બાદ દેશમાં અનલોકની પ્રક્રિયાને લઈ ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં પણ અમિત શાહની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અમિત શાહ એક દિવસ પહેલા જ લોકમાન્ય બાલ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથિના આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં એમની સાથે મંચ પર અનેક લોકો હાજર હતા.
શું કહ્યુ અમિત શાહે?
કોરોનાના શરૂઆતી લક્ષણો જોવા મળતા મે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટે પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે, પરંતુ ડૉક્ટર્સની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી અપીલ છે કે તમારામાંથી પણ લોકો છેલ્લા કેટલાક દિવસોથી મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને પોતે આઇસોલેટ કરી પોતાની તપાસ કરાવો.
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।