કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ક્રાંતિકારીઓ પુસ્તકનું વિમોચન કરી જણાવ્યું હતું કે કોંગ્રેસનું અઝાદીમાં મહત્વનું યોગદાન છે પરંતુ અન્યુ કોઈનું યોગદાન નથી એ વાત ઉચિત નથી.
ઇતિહાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ દેશનો સાચો ઇતિહાસ બહાર લાવવા અનુરોધ
ક્રાંતિકારીઓ પુસ્તકનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અમિત શાહે વીર સાવરકરને યાદ કરી સ્વતંત્રતા સંગ્રામમાં તેમનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું હતી. વધુમાં તેમણે કહ્યું કે અત્યાર સુધી માત્ર એક જ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે હું એમ નથી કહેતો કે અન્ય લોકોએ કામ કર્યું નથી.
1857નું યુદ્ધ ગદર ચળવળ તરીકે ઓળખાતું
વધુમાં આઝાદીના આંદોલનમાં કોંગ્રેસનું યોગદાન મહત્વનું છે પંરતુ બીજા કોઈએ યોગદાન ન આપ્યું હોવાનુ કહેવું ઉચિત નથી. 1857નું યુદ્ધ ગદર ચળવળ તરીકે ઓળખાતું હતું. વીર સાવરકર એવા પ્રથમ વ્યક્તિ હતા. જેઓએ આ આઝાદીની પ્રથમ લડાઈ તરીકે ઓળખી હતી. અને ત્યાંથી જ સશસ્ત્ર ક્રાંતિની કથા રચાઈ હતી. જેના કારણે સ્વતંત્રતા સંગ્રામને ગતિ પ્રાપ્ત થઈ હતી.
દેશનો સાચો ઇતિહાસ બહાર લાવવા અનુરોધ
આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જે દેશને તેની વિરાસત પર ગર્વ ન હોય તે દેશ ક્યારેય વિકાસ ન કરી શકે! વધુમાં ગુલામીના સમયગાળા દરમિયાન સ્થાપિત પરંપરા, માન્યતા અને વિચારસરણી સાથે ચાલી રહ્યા છે તેઓ રાજકીય ગુલામીમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ આપણે દેશની વિચારસરણીને ગુલામીમાંથી મુક્ત કરી શકતા નથી. જ્યારે તમે આ પુસ્તક વાંચશો, ત્યારે તે સ્પષ્ટ થશે કે સશસ્ત્ર ક્રાંતિનો હેતુ આ દેશમાં હિંસા ફેલાવવા માટે નહોતો, પરંતુ તે એક સુવિચારી ચળવળ હતી, જે સફળ પણ રહી હતી.હંમેશા એવું સાંભળવામાં આવ્યું કે આ દેશનો ઈતિહાસ ખોટી રીતે વર્ણવવામાં આવ્યો છે. આ મામલે કોઇ ડાબેરીઓને તો કોઈ અંગ્રેજોને દોષિત માને છે. તો કોઈ કોંગ્રેસ પર પ્રહાર કરે છે. પરંતુ હવે કોણ રોકે છે હું આજે આ મંચ પરથી હું ઇતિહાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ દેશનો સાચો ઇતિહાસ બહાર લાવવા અનુરોધ કરું છું.
સાવરકરે 1857ના વિદ્રોહને આઝાદીનું પ્રથમ યુદ્ધ ગણાવ્યું હતું
કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે કહ્યું કે, ઈતિહાસ ઘણી માન્યતાઓને જન્માવે છે પણ ઈતિહાસ હાર અને જીતના આધારે લખાતો નથી. ઈતિહાસ હંમેશા વાસ્તવિકતાના આધારે લખવો જોઈએ.ઉપરાંત મૂલ્યાંકનના આધારે લખાવો જોઈએ,જેમાં વીર સાવરકરે 1857ના વિદ્રોહને આઝાદીનું પ્રથમ યુદ્ધ ગણાવીને પહેલીવાર આ પ્રકારની કોશિશ કરી હતી. તેમણે કહ્યું કે આંદામાનની સેલ્યુલર જેલ જોયા પછી મને લાગયું કે પશ્ચિમી દેશો માનવ અધિકારની વાત કેવી રીતે કરી શકે છે? વધુમાં કોંગ્રેસનું નિવેદન સ્વતંત્રતા ચળવળમાં યોગદાન પર એકાધિકાર છે તે સંપૂર્ણપણે ખોટું હોવાનું પણ કહ્યું હતી.