કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે તેમણે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે લોકાર્પણ
મનપા, ગુડાના વિકાસ કાર્યોનું લોકાર્પણ
193.12 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
ગાંધીનગર મનપા અને ગુડાના વિકાસ કાર્યોનું અમિત શાહે લોકાર્પણ કર્યું હતું. જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. ગાંધીનગર મનપા નિર્મિત 193.12 કરોડના પ્રોજેક્ટનું અમિત શાહે ખાતમુહૂર્ત કર્યું હતું. તો ગાંધીનગર શહેરમાં 3 બગીચાઓનું પણ લોકાર્પણ કર્યું. ગુડા નિર્મિત રૂ.81.44 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. 134 આવાસોનો અમિત શાહના હસ્તે ડ્રો કરવામાં આવ્યો હતો.
સૌને સમાન સુવિધા મળી રહી છેઃ અમિત શાહ
આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, સરકાર સામેથી કામ કરી રહી છે. બહુમત સાથે ગાંધીનગર મનપામાં ભાજપનો વિજય થયો છે. દરેક ગરીબના ઘરમા ગેસનો ચુલો પહોંચ્યો છે. સ્વાસ્થ્યની સેવાઓ મફતમાં અપાઈ છે. કોંગ્રેસના રાજમાં આવા નવા મકાનો મળતા ન હતા. કોંગ્રેસી રાજ્યમાં યોજના કાગળ પર જ રહી. PM મોદીજીની સરકાર ગરીબોના ઘર સુધી પહોંચી છે. દરેક જગ્યાએ આજે વિકાસ થઈ રહ્યો છે. સૌને સમાન સુવિધા મળી રહી છે. 71 કરોડના ખર્ચે ગુડા ભવનનું નિર્માણ થયું છે. 20 કરોડના ખર્ચે અડાલજ નર્મદા પમ્પીગ સ્ટેશન બન્યું છે. નવા ગામો સામેલ થયા તેમાં પણ ગટર સુવિધા પણ મળી છે. રાજ્ય સરકારે પુરા ખંતથી કામ કર્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં 8 હજાર 24 કરોડના કામો પુરા કર્યા છે.
અમદાવાદના શેલામાં તળાવના નવિનીકરણ પ્રોજેક્ટનું કર્યું ખાતમુહૂર્ત
અમદાવાદના શેલામાં તળાવના નવિનીકરણ પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાતમુહૂર્ત કર્યું હતું. PPP ધોરણે તળાવનો વિકાસ કરવામાં આવશે. અંદાજે 5 કરોડ રૂપિયાના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન થશે.
આણંદમાં ઇરમા પદવીદાન સમારોહ
આ અગાઉ આણંદમાં ઇરમા યુનિ.ના 41માં પદવીદાન સમારોહમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહના હસ્તે 250 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. આ કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે, દેશના વિકાસ માટે ગ્રામીણ વિકાસનો મોટો ફાળો છે. ગામડાને સમૃદ્વ બનાવ્યા સિવાય દેશ આત્મનિર્ભર ન બની શકે. આજે પ્રધાનમંત્રી સડક યોજનાથી કનેક્ટિવિટીની સુવિધા ઉભી કરી. આજે દેશના છેવાડા સુઘી વીજળી પહોંચી ગઇ છે. 70 ટકાની વસ્તીને દેશના વિકાસમાં જોડવી પડશે.
आज @IRMAOfficial79 के 41वें दीक्षांत समारोह में दीक्षित छात्रों को डिग्री वितरित कर उन्हें उनके उज्ज्वल भविष्य की शुभकामनाएँ दीं।
मुझे विश्वास है कि यहाँ से जाने के बाद आप चाहे किसी भी क्षेत्र में काम करें लेकिन ग्रामीण विकास के विचार और संकल्प के प्रति आप सदैव समर्पित रहेंगे। pic.twitter.com/thGkVmKbsg