ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રાની પૂર્ણ
કોરોનાકાળના 2 વર્ષ બાદ આજે યોજયેલી અમદાવાદની 145મી રથયાત્રા રંગેચંગે ઉજવાઇ પૂર્ણ થઈ છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ નિજમંદિરે પહોંચી ગયો છે. હવે , મંદિરના પ્રાંગણમાં ભગવાનને રાતવાસો કરવો પડશે. આવતીકાલ શનિવારે ભગવાન જગન્નાથજી મંદિરમાં બિરાજમાન થશે.
રથયાત્રા નીજ મંદિર પરત ફરી: ભક્તોના જય જગન્નાથના જયઘોષથી પરિષર ગુંજી ઉઠ્યું,
કોર્પોરેશનથી ભગવાન નીજ મંદિર તરફ જવા રવાના, મંદિર ભક્તો માટે બંધ
રથયાત્રા કોર્પોરેશનથી નીજ મંદિર તરફ જવા રવાના થઈ ચૂકી છે. તો રથયાત્રામાં સૌથી પહેલા ચાલતા ગજરાજ જમાલપુર પહોંચી ગયા છે, મંદિરમાં ભક્તો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ ભગવાનની અર્ચના પૂજા અને નીજ મંદિરમાં વધામણાં કરવા મહંત દિલીપદાસ મંદિરે પહોંચી ગયા છે.
ઘી કાંટા પહોંચ્યા રથ
અમદાવાદ રથયાત્રા 2022: ભગવાન જગન્નાથજીના રથ ઘી કાંટા પહોંચ્યા, થોડીવારમાં રથ પાનકોર નાકા પહોંચશે
શાહપુર ખાતે રથયાત્રામાં કેબિન પર સવાર 15થી 20 લોકો નીચે પટકાયા
નીજ મંદિર તરફ પ્રયાણ કરતાં રથયાત્રા શાહપુર પહોંચી છે. જ્યાં નાની દુર્ઘટના સર્જાઇ છે. એક કેબિન તૂટી પડતાં તેની પર સવાર 15થી 20 લોકો નીચે પટકાયા હતા. જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. સમગ્ર મામલે કોઈ જાનહાનિ થઈ નથી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ ક્રમિશનરની હાજરીમાં આ બનાવ બન્યો હતો. ધડામ દઈને કેબિન નીચે પડતાં કેટલાક બાળકો હેબતાઈ ગયા હતા. બાદમાં હર્ષ સંઘવીએ ત્યાં જઈ બાળકોને શાંત પાડયા હતા અને રૂમાલથી મો લૂછી પોલીસને બાળકોની સાવચેતી રાખવા સૂચન કર્યું હતું
અમદાવાદ રથયાત્રાઃ શાહપુરમાં કેબિન તૂટી પડતા, કેબિન પર સવાર 15થી 20 લોકો નીચે પટકાયા, કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ, કોઈ જાનહાનિ નહીં, હર્ષ સંઘવીની હાજરીમાં બની ઘટના#Ahmedabad #RathaYatra2022 @sanghaviharsh pic.twitter.com/dWoRJSn97V
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 1, 2022
હર્ષ સંઘવી રથયાત્રામાં જોડાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગ્રુહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત રથયાત્રાની સુરક્ષાનું અપડેટ લઈ રહ્યા છે. ત્યારે હવે હર્ષ સંઘવી ખુદ ચાલતા ચાલતા રથયાત્રામાં જોડાયા છે. ભક્તિમાં લીન ભક્તોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે.
દિલ્હી દરવાજા, ઘી કાંટા વિસ્તારમાં વરસાદ
રથયાત્રા દિલ્હી દરવાજા પહોંચતા જ ભક્તોએ જય જગન્નાથનો જય ઘોષ કર્યો હતો. દિલ્હી દરવાજા વિસ્તારમાં વરસાદના હળવા અમીછાંટણા પડ્યા હતા.
રથયાત્રા પ્રેમ દરવાજા પહોંચી
રથયાત્રા મોસાળ સરસપુરથી પરત ફરી પ્રેમ દરવાજા પહોંચી છે જ્યાં ભક્તોમાં અનેરો હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ભક્તોએ અહી ભગવાનના ઓવારણા લઈ મગનો પ્રસાદ આરોગીઓ હતો.
અમદાવાદ પોલીસ કમિશનરે કર્યું મોનેટરીંગ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા ધામધૂમ પૂર્વક યોજાઇ ત્યારે કોઇપણ પ્રકારની અનઇચ્છનિય ઘટના ન બને અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસ તંત્ર ખડે પગે રહ્યું હતું ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા સતત મોનેટરીંગ કરવામાં આવ્યું ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.
રથયાત્રા મોસાળ સરસપુરથી પરત ફરી કાલુપર પહોંચી
રથયાત્રા મોસાળથી નીજ મંદિર તરફ પરત ફરી રહી છે. સરસપુરથી ભગવાનના રથ પહોંચ્યા કાલુપુર બ્રિજ, રોડની બંન્ને તરફ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જગતના નાથ જ્યારે ખુદ દર્શન આપવા પધાર્યા છે ત્યારે તેનો દર્શનનો લ્હાવો લઈ ધન્ય થવા ભક્તો આતુર છે.ભગવાનના દર્શન કરવા કાલુપુર સર્કલ પર મોટી સંખ્યામાં ભક્તો હાજર છે.
રથયાત્રા મોસાળ સરસપુરથી પરત નિજમંદિર જવા રવાના
રથયાત્રા મોસાળ સરસપુરથી પરત નિજમંદિર જવા રવાના થઇ ગઇ છે. ભગવાન જગન્નાથજીને જ્યારે મોસાળમાં પહોંચ્યા ત્યારે ભક્તોએ ભગવાનને મીઠો આવકાર આપ્યો હતો. હાલ રથયાત્રા પરંપરાગત રીતે આગળ વધી રહી છે.
ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં રંગેચંગે મોસાળું ભરવામાં આવ્યું, મોસાળ પક્ષ વાજતે ગાજતે ભગવાન માટે કીમતી આભૂષણો અને અન્ય વસ્તુઓ લઈ ભગવાનનું મોસાળું ભરવા આવ્યો હતો. જે બાદ ત્યાં જમણ પણ પીરસવામાં આવ્યું હતું. જુઓ વીડિયો
CM ડેશબોર્ડના માધ્યમથી રથયાત્રાનું નિરીક્ષણ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિમિત્તે CM ડેશબોર્ડના માધ્યમથી CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને DGP આશિષ ભાટિયાએ રથયાત્રાનું નિરીક્ષણ કર્યું
અમદાવાદની 145મી રથયાત્રા | CM ડેશબોર્ડના માધ્યમથી રથયાત્રાનું નિરીક્ષણ કરતાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને DGP આશિષ ભાટિયા#RathYatra2022 #Ahmedabad @CMOGuj @sanghaviharsh pic.twitter.com/TwvM3p1jmz
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 1, 2022
ભાણેજ પહોંચ્યા મોસાળમાં
ત્રણેય રથ મંદિરેથી પ્રસ્થાન કરી મોસાળ સરસપુર પહોંચી ગયાં છે. તમામ ટ્રક સરસપુર પહોંચી ગયાં છે. સરસપુરમાં ભક્તોએ પણ ઉત્સાહભેર ભગવાન જગન્નાથજીના વધામણાં કર્યા. ભગવાનનું મામેરૂ લઈ જવામાં આવ્યું.
થોડી જ વારમાં રથયાત્રા સરસપુર પહોંચશે
રથયાત્રા કાલુપુર પહોંચતા જ ભક્તોએ ભગવાન જગન્નાથના ભાવભર્યા દર્શન કરી ધન્યતા અનુભવી. હાલ મોસાળું સરસપુરમાં ભગવાનના વધામણાં કરવા માટે ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.
આસ્થાની સાથે જાગૃતિ પણ જરૂરી
આસ્થાની સાથે જાગૃતિ પણ જરૂરી#vtvcard #RathYatra pic.twitter.com/ZBmgJNfllt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 1, 2022
આ વર્ષે રથયાત્રામાં કોરોના વોરિયર્સના ટેબ્લોને પણ સ્થાન અપાયું છે. સાથે કોરોના સામે જાગૃતિ ફેલાવવા ખુદ પ્રભુએ પણ માસ્ક પહેર્યું છે. જેની તસવીર પણ હાલ ખૂબ વાયરલ થઇ રહી છે.
રથયાત્રામાં હેલિકોપ્ટરથી સર્વેલન્સ: જમીન અને આકાશમાં ચુસ્ત બંદોબસ્ત દ્વારા પોલીસની ચાંપતી નજર
ખુદ અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનરે પણ હેલિકોપ્ટર દ્વારા સર્વેલન્સ કર્યું
ડ્રોનની નજરે જુઓ ભગવાનની જગન્નાથની નગરચર્યા
#રથયાત્રાઅમદાવાદપોલીસ@sanghaviharsh @InfoGujarat pic.twitter.com/zkyvlBf7mR
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 1, 2022
ભગવાનની રથયાત્રામાં અમીછાંટણા થતા ભક્તો ઝૂમી ઉઠ્યા
ભગવાનની રથયાત્રામાં દર વર્ષે અમીછાંટણા થતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ભગવાનની રથયાત્રામાં અમીછાંટણા થતા ભક્તો ઝૂમી ઉઠ્યા છે. શહેરના જમાલપુર, ખમાસા, ખાડીયા અને ઢાળની પોળમાં ઝરમર-ઝરમર વરસાદ વરસ્યો છે. એટલે કહી શકાય કે અમીછાંટણા રૂપે ભગવાન જગન્નાથે ભક્તો પર વહાલ વરસાવ્યું છે.
અમદાવાદની 145મી રથયાત્રા | ભગવાનની રથયાત્રામાં અમીછાંટણા થતા ભક્તો ઝૂમી ઉઠ્યા, શહેરના જમાલપુર, ખમાસા, ખાડીયા અને ઢાળની પોળમાં ઝરમર-ઝરમર વરસાદ, અમીછાંટણા રૂપે જગન્નાથે ભક્તો પર વહાલ વરસાવ્યું#Ahmedabad #RathYatra2022 pic.twitter.com/MTTO5nLHhR
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 1, 2022
સરસરપુરમાં ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન
કોરોનાકાળના બે વર્ષ ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી રહી છે, ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં ભગવાનની રાહ જોવાઈ રહી છે. ભગવાનના આગમનને લઇ સરસરપુરમાં ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ભક્તોને સરસપુર સ્થિત દેસાઈની પોળમાં બનાવવામાં આવેલી રજવાડી ખીચડી પ્રસાદમાં આપવામાં આવ્યો હતો.
મામેરામાં ઉપસ્થિત રહેવા ભક્તોએ બેન્ડવાજા સાથે ગરબાની રમઝટ બોલાવી
રથયાત્રાને લઇને સરસપુરમાં ભગવાનના મોસાળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનના મામેરામાં ઉપસ્થિત રહેવા ભક્તોએ બેન્ડવાજા સાથે ગરબાની રમઝટ બોલાવી.
રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકોનો કાફલો જોડાયો
કોરોના કાળના બે વર્ષ બાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા અને ભાઈ બળભદ્રની રથયાત્રા ધામધૂમથી નીકળી રહી છે, ત્યારે ખાડિયા ભક્તિના રંગમાં રંગાયું છે. નાથના વધામણાં કરવા માટે ખાડિયાના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળેલી યાત્રા પરંપરાગત રીતે આગળ વધી રહી છે. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકોનો કાફલો જોડાયો છે.
લઠ્ઠબાજી અને ચક્ર કરતબ સાથે અખાડાના ટ્રકો ધીરે-ધીરે આગળ વધી રહ્યાં છે
રથયાત્રામાં લઠ્ઠબાજી અને ચક્ર કરતબ સાથે અખાડાના ટ્રકો ધીરે-ધીરે આગળ વધી રહ્યાં છે. પૂરજોશમાં કરતબ સાથે અખાડાના ટ્રકો આગળ પસાર થઇ રહ્યાં છે. રથયાત્રામાં વિવિધ થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર ઠેર-ઠેર મગની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગજરાજ પહોંચ્યા રાયપુર ચકલા સર્કલે
2 વર્ષ બાદ જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળતા ભક્તોમાં દર્શનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં ગજરાજ રાયપુર ચકલા સર્કલે પહોંચ્યા છે.
જગન્નાથજીના આંખેથી પાટા ખોલવામાં આવતા દર્શન કરીને ભક્તો ઝૂમી ઉઠ્યા
ઠાકોર પરિવારે ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કર્યું
છેલ્લાં 7 વર્ષથી યજમાન પરિવાર જેની રાહ જોઈ રહ્યો હતો તેઓની તે ઇચ્છા આજે ભગવાને પૂરી કરી છે. ઠાકોર પરિવારે ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કર્યું છે. યજમાન પરિવાર અત્યારે સરસપુર મંદિર પહોંચ્યો છે. મહત્વનું છે કે, ભગવાનના મોસાળા માટે વર્ષોવર્ષથી રાહ જોવાતી હોય છે.
145મી રથયાત્રા પૂર્વે આદિવાસી નૃત્ય અને ઢોલ-નગારા સાથે ભક્તોમાં ભારે ઉત્સાહ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે આદિવાસી નૃત્ય અને ઢોલ-નગારા સાથે ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો...#RathaYatra2022 #RathaYatra pic.twitter.com/0ukfwyDsBl
— Gujarat Information (@InfoGujarat) July 1, 2022
ભગવાન સ્વામિનારાયણ પણ રથયાત્રામાં સવાર થયા
ગજરાજ પહોંચ્યા ઢાળની પોળ
અમદાવાદમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાનની નગરચર્યા ધીરે-ધીરે આગળ વધી રહી છે. ગજરાજો ઢાળની પોળ પહોંચ્યા છે. ભગવાનના દર્શનની તાલાવેલી હોવાના કારણે ભક્તોની પણ ધીરે-ધીરે ભીડ જામી રહી છે.
GUJARAT RATH YATRA 2022 Update: અમદાવાદમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાનની નગરચર્યા ધીરે-ધીરે આગળ વધી રહી છે, ગજરાજો પહોંચ્યા ઢાળની પોળ#RathaYatra2022 #Ahmedabad pic.twitter.com/Y3eXcLj4xM
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 1, 2022
ભગવાન સમયસર મંદિરે પહોંચે તે માટે સમગ્ર વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરી દેવાઇ: હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, 'લોકોને દર્શન આપવા માટે શાહી અંદાજમાં ભગવાનની યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. યાત્રા સમયસર શરૂ થાય અને ભગવાન સમયસર મંદિરમાં પહોંચે તે માટે સમગ્ર વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની યાત્રા એ આસ્થા અને વ્યવસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આ વખતે ખૂબ નવી ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે ડ્રોન અને હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.'
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અલગ-અલગ કોમ્યુનિટીના લોકોએ જે આરતી ઉતારી છે તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.
Amazing All community Aarti Programme at ' Gandhi Ni Pol ' Saraspur , Ahmedabad .@sanghaviharsh @InfoGujarat #રથયાત્રાઅમદાવાદપોલીસ @AjayChoudharyIN pic.twitter.com/SRLc6fsxWA
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 1, 2022
CM ભૂપેન્દ્ર પટેલે દોરડાથી રથ ખેંચ્યો, ભક્તોમાં અનેરો ઉત્સાહ
CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી વિધિવત રીતે રથયાત્રાનો શુભારંભ કરાવ્યો છે. જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું. મુખ્યમંત્રીએ રથ ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો.
અમદાવાદની 145મી રથયાત્રા | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી વિધિવત રીતે રથયાત્રાનો કરાવ્યો શુભારંભ, જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે વાતાવરણ બન્યું આધ્યાત્મિક#Ahmedabad #RathYatra2022 @Bhupendrapbjp pic.twitter.com/9lnXSxcbcL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 1, 2022
સૌ ગુજરાતીઓના સુખ-સમૃદ્ધિમાં ભગવાન વધારો કરે: CM ભૂપેન્દ્ર પટેલ
ભગવાન જગન્નાથ, શુભદ્રાજી અને બલભદ્રજીની રથયાત્રા નગરચર્ચાએ નીકળી ગઈ છે. ભગવાનના નગરચર્યાએ નીકળ્યા પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. જ્યાર બાદ મુખ્યમંત્રીએ રથયાત્રાને લઇ કચ્છી ભાઈ-બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે ભગવાન પાસે ગુજરાતના લોકોની શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી.
અમદાવાદની 145મી રથયાત્રા | ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરીએ સૌ ગુજરાતીઓના સુખ-સમૃદ્ધિમાં ભગવાન વધારો કરે, કચ્છવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ : CM ભૂપેન્દ્ર પટેલ#Ahmedabad #RathYatra2022 @Bhupendrapbjp pic.twitter.com/9Q4fioUyOa
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 1, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા નિજ મંદિર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિજ મંદિર પહોંચ્યા છે. જ્યાં તેઓ થોડી જ વારમાં પહિંદવિધિ કરી રથયાત્રાનો વિધિવત રીતે પ્રારંભ કરાવશે.
અમદાવાદની 145મી રથયાત્રા | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા નિજ મંદિર, થોડીવારમાં પહિંદવિધિ કરી રથયાત્રાનો વિધિવત રીતે કરાવશે પ્રારંભ #rathyatra2022 #ahmedabad #timeline #Gujarat pic.twitter.com/FehqoP9ADu
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 1, 2022
રથ ખેંચવા માટે ખલાસીઓ મંદિર પહોંચ્યા
રથ ખેંચવા માટે ખલાસીઓ મંદિર પહોંચ્યા છે. રથ ખેંચવા માટે ખલાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામ ખંભાળિયાથી બહેનો ગરબી લઇને આવી છે. થોડીવારમાં ભગવાન રથ પર નીકળવા સવાર થશે. હાલ ભગવાનને રથમાં લઇ જવાઇ રહ્યાં છે.
લોખંડી બંદોબસ્ત વચ્ચે યોજાશે અમદાવાદની 145મી રથયાત્રા, ટ્રાફિક JCPએ કહ્યું- નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે પ્રકારે કરાઈ સુરક્ષા વ્યવસ્થા#rathyatra2022 #Ahmedabad pic.twitter.com/W69E3uEpyg
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 1, 2022
નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે પ્રકારે સુરક્ષા વ્યવસ્થા કરાઈ
આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા લોખંડી બંદોબસ્ત વચ્ચે યોજાશે. ત્યારે અમદાવાદના ટ્રાફિક JCPએ કહ્યું- નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે પ્રકારની પહેલાથી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદની 145મી રથયાત્રા | બહેન સુભદ્રાને કલ્પ ધ્વજ રથમાં થયા બિરાજમાન, મોટી સંખ્યામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર#rathyatra2022 #Ahmedabad pic.twitter.com/EOSBovRR2t
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 1, 2022
બહેન સુભદ્રા કલ્પ ધ્વજ રથમાં થયા બિરાજમાન
ભગવાન જગન્નાથ બાદ મંદિર પરિસર બહેન સુભદ્રાને કલ્પ ધ્વજ રથમાં બિરાજમાન થયા હતાં. તે દરમિયાન મોટી સંખ્યામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું
અમદાવાદની 145મી રથયાત્રા | ભગવાન જગન્નાથજી નંદી ઘોષ રથમાં બિરાજમાન થયાં, જય જગન્નાથના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર#rathyatra2022 #Ahmedabad pic.twitter.com/BrVYLRU6YD
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 30, 2022
નગરચર્યા માટે તૈયાર ભગવાન જગન્નાથ
ભગવાન જગન્નાથજી નંદી ઘોષ રથમાં બિરાજમાન થયાં હતાં જે દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં જય જગન્નાથના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું
રથયાત્રાને લઇ મોસાળ સરસપુરમાં જોરદાર ઉત્સાહ
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિમિત્તે આજે ભગવાનના મોસાળમાં સરસપુરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનનો મીઠો આવકારવા કરવા માટે નગરજનોનો થનગની રહ્યાં છે. બીજી તરફ ભગવાનના મોસાળ સરસપુરને દુલ્હનની જેમ શણગારાયું છે. સમગ્ર મંદિર પરિસરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે.
રથયાત્રામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત
મંગળા આરતી બાદ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો
આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનો આરંભ થશે ત્યારે વહેલી સવારે મંગળા આરતીબાદ ભગવાન જગન્નાથને ખીચીડીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવ્યાં હતાં. ભગવાનના પાટા ખોલતી વખતે ભક્તોએ રાસ અને ગરબાની પ્રસ્તુતિ કરી હતી. 7.05 મિનિટે ભગવાન નીકળશે નગરચર્યાએ.
ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લીધો
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે જગતનાથ નગરચર્યાએ નીકળશે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથની આસપાસ RAFના જવાનો ગોઠવવામાં આવ્યા છે. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી.
#WATCH Ahmedabad, Gujarat | Union Home Minister Amit Shah performs 'Mangal Aarti' at Shree Jagannathji Mandir ahead of the 145th Lord Jagannath Rath Yatra which commences from today pic.twitter.com/brwjXjOqBo
— ANI (@ANI) June 30, 2022
ભગવાન જગન્નાથની રથયાત્રાનો ટાઈમ લાઈન