ગુજરાતમાં વૈષ્ણવ યુવા ઓર્ગેનાઇઝેશન દ્વારા કુલ 29 ઓક્સિઝન પ્લાન્ટ 7 કરોડના ખર્ચે ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજદીન સુધી 28 પ્લાન્ટ ચાલુ થઈ ગયા છે. એ પૈકીના આજે 9 પાલન્ટ નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. વૈષ્ણવ સમાજના ગુરુ વ્રજરાજજી હાજર રહ્યા હતા. આમ તો અત્યારે કોરોના કાબૂમાં આવી ગયો છે. પણ લિકવિડ ઓક્સીઝનનું મહત્વ સમજાવતો ગયો છે.
જેને લક્ષમાં રાખીને આ સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. આ અગાઉના પ્લાન્ટ સીએમ રૂપાણી બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડા રાજ્યપાલ સહિતના નેતાઓ ઉદ્ઘાટન કરી ચુક્યા છે. આજના પ્રસંગે અમિત શાહ જોડાયા હતા. આ સાથે જ વ્રજરાજજીએ જણાવ્યું હતું કે, દેશ દુનિયા મહામારી સામે સઘર્ષ કરી રહ્યું છે. જો કે ભારતની જાણે વિશેષ પરીક્ષા કુદરત લઈ રહ્યું છે. કોરોના સાથે કુદરતી અફતોથી પણ દેશ ઝુઝી રહ્યો છે. જો કે વિકટ પરિસ્થિતિમાં જ નેતૃત્વની સાચી પરીક્ષા થાય છે. વિકસિત દેશોમાં પણ વ્યવસ્થા પડી ભાંગી જોવા મળી હતી. જો કે ભારત માં સરકારના મહામારી સામે લડી જ રહી હતી. પરંતુ દેશમાં તમામ લોકો પણ એક થઈ લડી રહ્યા છે. આ સમયમાં જેને પણ પોતાના લોકોને ગુમાવ્યા છે. એમની માટે હું દુઃખ વ્યક્ત કરું છું.
તો 162 ઓક્સિજન પ્લાન્ટને PM કેર ફન્ડમાંથી મજૂરી અપાઈ છે. આગામી દિવસોમાં 300 ઓક્સિજન પ્લાન્ટનું કામ થશે. અમિત શાહે કોરાનાના મૃતકોના પરિવારને પણ સંવેદના પાઠવી હતી. સોલા, સિંગરવા, ભાણવડ, કપડવંજ, તિલકવાડા, સાગબારામાં આ ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. મહેસાણા, પોરબંદરમાં પણ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી દેવાયું છે. આ ઓક્સિજન પ્લાન્ટોની 10 હજાર લિટરની ક્ષમતા છે.
સોમનાથ જિલ્લાને પણ સહયોગથી મળ્યો ઓક્સિજન પ્લાન્ટ
તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ, જાહેર ટ્રસ્ટો, ખાનગી કંપનીઓ દ્વારા સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સોમનાથ ટ્રસ્ટ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ-પાટણમાં ગીર-સોમનાથ જિલ્લાનો પ્રથમ ઓક્સીજન પ્લાન્ટ રૂ. 50 લાખના ખર્ચે કાર્યરત કરવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ પૂજા-વિધિ કરી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્લાન્ટના માધ્યમથી હવામાંથી શુધ્ધ ઓક્સીજન મળે તે દર્દીઓ સુધી પહોંચાડવામાં આવે છે. ઓક્સીજન ટેન્કની સ્ટોરેજની ક્ષમતા 2 હજાર લીટર છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 20 બેડ કોરોના દર્દી માટે ઓક્સીજન સાથેના છે. જેને 24x7 કલાક ઓક્સજનના પ્લાન્ટ દ્વારા મળશે. પીએસએ ટેકનોલોજીથી કાર્યરત છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ પ્લાન્ટનું સંચાલન કરવામાં આવશે.