અમિત શાહે કહ્યું કે જો રાજ્ય સરકારોને લાગે છે કે લોકડાઉનથી ચેન તોડવાનો એક માત્ર વિકલ્પ છે તો તે લોકડાઉન પર વિચાર કરી શકે છે.
શાહે લોકડાઉનની શક્યતાઓ પર આ રાજ્યોમાં વિવેક પર છોડવાના ઈશારો કર્યો
કોરોનાની બીજી લડાઈને રાજ્ય સરકારોની સાથે મળીને લડવાની જરુર છે
પીએમ મોદી સતત સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે
દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે એક વાર ફરી લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. કોરોનાના મામલાની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં જે રીતે તેજીથી મામલા વધી રહ્યા છે તેના પર અમારી નજર બનેલી છે. તેમણે કહ્યું કે જો રાજ્ય સરકારોને લાગે છે કે લોકડાઉનથી ચેન તોડવાનો એક માત્ર વિકલ્પ છે તો તે લોકડાઉન પર વિચાર કરી શકે છે.
શાહે લોકડાઉનની શક્યતાઓ પર આ રાજ્યોમાં વિવેક પર છોડવાના ઈશારો કર્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉનની શક્યતાઓ પર આ રાજ્યોમાં વિવેક પર છોડવાના ઈશારો કર્યો છે. એક મીડિયા ચેનલની સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ફક્ત ભારત જ નહીં અન્ય દેશોમાં પણ કોરોનાની નવી લહેર પહેલાથી વધારે ખતરનાક સાબિત થઈ છે. બીજા દેશોમાં કોરોનાના કારણે જેટલું મોટું નુકસાન થયું છે તેની સરખામણીમાં ભારતની વસ્તીના હિસાબથી આપણે સારું કામ કર્યુ છે. તેમણે કહ્યું કે અમે એ વાત દાવા સાથે કહી શકીએ છીએ કે ભારતે કોરોનાથી લડવા માટે અપેક્ષાકૃત સારુ કરવામાં આવ્યો છે.
પીએમ મોદી સતત સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે કોરોનાની બીજી લડાઈને રાજ્ય સરકારોની સાથે મળીને લડવાની જરુર છે. તેમણે કહ્યું કે દેશમાં રેમડેસિવર દવા અને ઔક્સિજનની અછત નથી. પીએમ મોદી સતત સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
ગત વર્ષની સરખામણીમાં સ્વાસ્થ્ય સેવાઓ સારી થઈ છે
તેમણે જણાવ્યું કે ગત વર્ષ અમે કોરોનાને લઈને તૈયાર નહોંતા. ત્યારે આપણી પાસે દવા કે રસી નહોંતા. હવે સ્થિતિ ઘણી બદલાઈ ચૂકી છે. ડોક્ટર કોરોનાને સારી રીતે સમજી ચૂક્યા છે. તેમ છતાં અમે મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા કરી રહ્યા છીએ. સામાન્ય સહમતિ જે પણ હોય અમે તે પ્રમાણે આગળ વધીશું. હાલમાં જે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે તેને જોતા લોકાડઉન જેવી સ્થિતિ નથી દેખાઈ રહી.