ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું માં ઉમિયાના ધામના શિલાન્યાસ પ્રસંગમાં મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો છે, ઉમિયામાતા સંસ્થાનનો હું આભાર માનું છું કે આ પવિત્ર કામમાં જોડવા માટે મને મોકો આપ્યો
ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ
મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો : અમિત શાહ
અમિત શાહના હસ્તે આજે વિકાસના કામોનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે અમદાવાદ ખાતે ઉમિયા મંધિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અમિત શાહે જાહેર સભાને સંબંધિત કરતા કહ્યું હતું કે માં ઉમિયાના ધામના શિલાન્યાસ પ્રસંગમાં મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો છે, રાજ્યના વિકાસમાં પાટીદારોનું યોગદાન અનેરૂ છે, અમિત શાહે ઉંઝાના ઉમિયાધામ અંગે વાત કરતા કહ્યું કે શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું ઊંઝાનું ઉમિયા મંદિર વિશ્વ વિખ્યાત બન્યું. અમિત શાહે અમદાવાદમાં આકાર લઈ રહેલા ઉમિયાધાન વિશે વાત કરતા જણાવ્યું કે ઉમિયાધામમાં માત્ર 1 રૂપિયામાં રહી શકે તેવી વ્યવસ્થા કરાશે, 1500 કરોડના ખર્ચે બની રહેલા ઉમિયાધામ દરેક સમાજના દીકરા દીકરીઓ માટે લાભદાયક રહેશે.
ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઉમિયામાતા સંસ્થાનનો હું આભાર માનું છું કે આ પવિત્ર કામમાં જોડવા માટે મને મોકો આપ્યો, મને નિમંત્રણ આપ્યું. આજે આ પવિત્ર કામમાં ધામના શિલાન્યાસમા મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો છે.1500 કરોડના ખર્ચે અનેકવિધ ગતિવિધિઓ મંદિરના શિલાન્યાસ સાથે થવાની છે. અહીં એક વિશાળ મોડેલ છે. અનેક વર્ષોથી આ જગ્યા લીધા પછી અમદાવાદમાં કડવા પાટીદાર સમાજનું એક કેન્દ્ર બને એ માટે પાટીદાર સમાજે જે સંકલ્પ લીધો છે એ માટે હું સમાજને ખૂબ શુભકામનાઓ આપું છું.
રાજ્યના વિકાસમાં પાટીદારોનું અનેરૂ યોગદાન : અમિત શાહ
ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યક્રમમાં અમિત શાહ સહિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં છે. 13મી ડિસેમ્બરે વડાપ્રધાન મોદી આ શિલાન્યાસ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે અને વર્ચ્યુઅલી સંબોધન કરશે. આ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અમિત શાહ સાથે સ્ટેજ પર જોવા મળ્યાં હતાં.
અમિત શાહના હસ્તે આજે વિકાસના કામોનું લોકાર્પણ
અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારમાં 275 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ પણ કરશે સાથે સાયન્સ સિટી, સિમ્સ હોસ્પિટલથી હેબતપુર બ્રિજનું કાર્પણ કરશે. અમિત શાહ સાયન્સ સિટી રોડ ખાતે બ્રિજનું લોકાર્પણ કરશે. ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહ જ્યારે અન્ય 8 કામનું ખાતમૂહૂર્ત અને 5 કામનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રીનો ગુજરાત પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કેમ કે આગામી 19 ડિસેમ્બરે ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાનાર છે, તેમજ આગામી વર્ષ વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે, તેને લઈને પણ ગુજરાત પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.