કેન્દ્રીય સૂચના આયોગ (CIC) ના 14મા સ્થાપના દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આપણો દેશ સૂચના અધિકાર (RTI) લાગુ કરવામાં સફળ થયો છે. સંપૂર્ણ પારદર્શિતા સાથે તંત્ર કામ કરી રહ્યું છે.
અમિત શાહે કહ્યું કે જે પ્રકારે RTI એક્ટની કલ્પના કરવામાં આવી હતી તેના ડેસ્ટિનેશન સ્થાન સુધી પહોંચવામાં આપણો દેશ સફળ રહ્યો છે. RTI એક્ટનું મૂળ પ્રાવિધાન વ્યવસ્થાની અંદર જનતામાં વિશ્વાસ ઉભો કરવાનું છે. આ વિશ્વાસ જનતામાં જાગૃત કરવો આ કાયદાનો પ્રમુખ ઉદ્દેશ્ય છે.
અમિત શાહે પારદર્શિતા અને જવાબદેહીને લઇને જણાવ્યું
અમિત શાહે કહ્યું કે પારદર્શિતા અને જવાબદેહી આ બંને એવા ભાગ છે જેના આધાર પર આપણે સારુ પ્રશાસન અને સુશાસન આપી શકીએ છીએ. પારદર્શિતા અને જવાબદેહી બંનેને આગળ વધારવા માટે RTI એક્ટે ઘણી સહાયતા કરી છે.
અમિત શાહે શાસન અને વ્યવસ્થામાં લોકોના વિશ્વાસને લઇને કહી આ વાત
અમિત શાહે કહ્યું કે આપણા દેશમાં જરૂરી હતું કે લોકોમાં વિશ્વાસ શાસન અને વ્યવસ્થામાં લાગે અને લોકોની સહભાગિતા પણ વ્યવસ્થાની અંદર જોવા મળે. આઝાદી પહેલા તંત્રનો ઉદ્દેશ્ય પોતાના અધ્યક્ષોની ઇચ્ચાઓ પુરી કરવાની હતી, જેના કારણે લોકો અને તંત્ર વચ્ચે મોટી ખાઇ જોવા મળતી હતી. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી જનતા અને તંત્ર વચ્ચેની આ ખાઇ ઓછી થઇ હોવાનું જોવા મળી રહ્યું છે.
Union Home Minister Shri @AmitShah addresses the 14th Annual Convention of Central Information Commission. https://t.co/VZwZRMth3X