રાહુલ ગાંધીને અયોધ્યાની ટીકીટ બુક કરાવવા કર્યું સૂચન
ગુજરાતમાં ચૂંટણીને લઈ રાજકારણમાં પહલચહલ મચી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભરચક પ્રચારો કરવામાં આવી રહ્યાં છે. ભાજપમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રચારની કમાન સંભાળી છે. વાગરામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. રામમંદિરને લઈ અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે.
વાગરામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું મોટું નિવેદન
વાગરામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. અમિત શાહે જણાવ્યું છે કે, 1 જાન્યુઆરી 2024ના રોજ રામમંદિર બની જશે અને રાહુલ ગાંધીને અયોધ્યાની ટીકીટ બુક કરાવવા પણ સૂચન કર્યું છે. રામ મંદિર મુદ્દે અમિત શાહે જણાવ્યું કે, રામ મંદિર બનાવવાના મુદ્દાને કોંગ્રેસે લટકાવી રાખ્યો હતો પરંતું નરેન્દ્ર મોદી આવ્યા અને ભૂમિપૂજન પણ કરી દીધો છે તેમણે કહ્યું કે, પહેલા મને રાહુલ ગાંધી પૂછ-પૂછ કરતા હતા કે, મંદિર વહી બનાયેગે તો તિથી કબ બતાયેગે તેમણે કહ્યું કે આજે વાગારાથી તેમને કહી દહુ કે, 1 જાન્યુઆરી 2024ના રોજ રામમંદિર બની જશે ટિકિટ બુક કરાવી લો.
અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે અનેક વર્ષ સુધી અહીં રાજ કર્યો પરંતું પોતાના ખીસ્સા ભરવા સિવાય કંઈજ કામ કર્યું નથી તેમણે કહ્યું કે, હું ગુજરાતમાં મોટું થયું છે મારા વતન માણસામાં તો એવી કહેવત છે કે, ભષ્ટ્રાચાર એટલે કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે ભષ્ટ્રાચાર, ગમે તેટલા રૂપિયા આવે પરંતું કોંગ્રેસ નામનો દરવાજા ખાઈ જતો તેમણે કહ્યું કે, પહેલા અહીં રમખાણા, તોફાના થતાં એટલે વિકાસ જ ન થયો. તેમણે કહ્યું કે, 2002માં એમણે છમકલું કરવાની કોશિષ કરી હતી પરંતું એવો પાઠ ભણાવ્યો કે, ફરી છમકલો કરવાની એમની હિંમત જ ન થઈ. તેમણે કહ્યું કે, પહેલા વીજળી ના ફાંફા હતા અંધારામાં જમવું પડતું હતું પરંતુ ભાજપે 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ કર્યું છે તેમણે કહ્યું કે, ગામડાને જોમવંતા અને જુસ્સાવાળા બનાવવાનું કામ ભાજપે કર્યું છે.
ગરીબોનું જીવન ધોરણ સુધાર્યો છે: અમિત શાહ
તેમણે કહ્યું કે, એમણે ગરીબને હટાવ્યા અને અમે ગરીબોનું જીવન ધોરણ સુધાર્યો છે તેમણે કહ્યું કે, કોરોનામાં મફત રસી આપી આપની સુરક્ષાની ચિંતા કરી છે પરંતુ તેમાં કોંગ્રેસના લોકો રાજકારણ કરતા હતા અને રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, કોઈ રસી ના મુકવાતા મોદી ટીકો છે પરંતુ તેમનો દેશમાં કોઈ સાંભળતું નથી અને બધા જ લોકોએ મુકાવી આવ્યા પછી રાહુલ પણ એક દિવસ અંધારામાં જઈ રસી મુકાવી આવ્યાં તેમણે કહ્યું કે, ભાજપે 370 કલમ હટાવવાનું કામ કર્યું છે, આ નહેરૂની ભૂલને બાળકની જેમ કોંગ્રેસ રમાડતી હતી તેમણે જણાવ્યું કે, આપણી અર્થવ્યવસ્થા પહેલા આઠમાં નંબરે હતી અને હવે પાંચમાં નંબરે છે આ કામ PM મોદીએ કર્યું છે.