કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CAA કાયદાને લઈને આપી મોટી જાણકારી
દેશમાં ક્યારે લાગૂ થશે તેને લઈને આપી જાણકારી
બંગાળના નેતા સાથે મુલાકાત દરમિયાન આ વાત કરી હતી
કેન્દ્ર સરકાર કોવિડ રસીકરણના ત્રીજા અભિયાનની સમાપ્તિ બાદ નાગરિકતા કાનૂન સંશોધન એટલે કે, CAA ને લાગૂ કરશે. મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોવિડ વેક્સિનેશન સમાપ્ત થવા પર CAAને લાગૂ કરવામાં આવશે. નાગરિકતા સંશોધન અધિનિયમ અંતર્ગત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા (હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ) ને નાગરિકતા આપવાની જોગવાઈ છે.
હકીકતમાં જોઈએ તો, અમિત શાહે આ આશ્વાસન પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીને આપ્યું. જ્યારે તેમણે મંગળવારે સંસદ ભવનમાં તેમની સાથે મુલાકાત કરી અને પશ્ચિમ બંગાળમાં ભાજપના કામકાજની સાથે સાથે સંગઠનના મુદ્દા ઉઠાવ્યા હતા. બેઠક બાદ અધિકારીએ કહ્યું કે, ગૃહમંત્રીએ તેમની સાથે વાત કરી છે કે, કેન્દ્ર સરકાર સીએએ લાંબા સમયથી અટકેલું છે, તેને લાગૂ કરવા સાથે આગળ વધશે, જ્યારે કોવિડ રસીકરણનો ત્રીજો ડોઝ પુરો થઈ જશે.
A lot of things were discussed, not everything can be disclosed as I'm a disciplinary soldier of BJP. But I had 2 main agendas - HM assured me of taking an action to root out SSC recruitment scam & to release CAA draft after COVID precaution dose exercise: WB LoP Suvendu Adhikari pic.twitter.com/rSjWGZt4aR
શાહે સાથે મુલાકાત કરનારા અધિકારીએ પશ્ચિમ બંગાળમાં સત્તાધારી ટીએમસી સાથે ચાલી રહેલી ભાજપની રાજકીય લડાઈથી સંબંધિત અન્ય મુદ્દા ઉઠાવ્યા હતા. અધિકારીએ કહ્યું કે, તેમણે 100 ટીએમસી નેતાઓની યાદી આપી છે, જેના વિરુદ્ધ ભ્રષ્ટાચાર પર કાર્યવાહી થવી જોઈએ.
અહીં ઉલ્લેખનિય છે કે, સીએએ 11 ડિસેમ્બર 2019ના રોજ સંસદમાંથી પાસ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસે નોટિફાઈ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે હજૂ સુધી આ અધિનિયમ માટે નિયમ નથી બનાવ્યા, જો કે, આ કાયદાનો ખૂબ વિરોધ થયો છે. પણ શાહે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓના જોરદાર વિરોધ છતાં પણ તેને લાગૂ કરવામાં આવશે.