દેશમાં વધી રહેલા કોરોનાને પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મટે ઓપરેશનલ ગાઈડલાઈન્સ બહાર પાડી છે.
દેશમાં કોરોના વધતા સરકાર એલર્ટ
રાજ્યો માટે બહાર પાડી ઓપરેશનલ ગાઈડલાઈન્સ
વેળાસર નિદાન, સંદિગ્ધ કેસોની પુષ્ટિ પર ખાસ ભાર
દેશમાં વધી રહેલા કોરોનાની વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એક વાર ગાઈડલાઈન્સ બહાર પાડી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઓપરેશનલ ગાઈડલાઈન્સ બહાર પાડી છે.
વેળાસર નિદાન, સંદિગ્ધ કેસોની પુષ્ટિ પર ખાસ ભાર
ઓપરેશનલ ગાઈડલાઈન્સમાં વેળાસર નિદાન, સંદિગ્ધ કેસોની પુષ્ટિ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક લેટર લખ્યો છે. લેટરમાં તમામ રાજ્યોને પાંચ પ્રકારની રણનીતિ લાગુ પાડવાનો નિર્દેશ અપાયો છે.
Union Health Secy writes to States/UT's on MoHfw welfare 'Operational Guidelines for Revised Surveillance Strategy in context of COVID.These guidelines provide revised strategy for surveillance with focus on early detection, testing, and timely mgmt of suspected & confirmed cases pic.twitter.com/yWrY2zDABT
દેશમાં કોરોનાની નવી લહેર
દેશમાં કોરોનાની નવી લહેર શરુ થઈ છે અને દિનપ્રતિદિન કેસોમાં વધારો આવી રહ્યો છે. આ જોતા સરકાર પણ ચિંતિત થઈ છે અને રાજ્યોને ફરી વાર પાંચ પ્રકારની રણનીતિ લાગુ પાડવાનો નિર્દેશ આપી દીધો છે.
આગામી મહિનામાં અનેક રાજ્યમાં આવી રહ્યા છે તહેવાર
આગામી મહિનાઓમાં અનેક તહેવારો આવી રહ્યાં હોવાથી ભીડ ભેગી થવાની આશંકા છે અને તેને કારણે સરકાર અત્યારથી સતર્ક થઈ છે અને તેથી રાજ્યોને પાંચ પ્રકારની રણનીતિ તાત્કાલિક લાગુ પાડવાનું જણાવાયું છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 14506 નવા કેસ
ભારતમાં કોરોનાના કેસો ફરી એક વાર રફ્તાર પકડતા દેખાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14506 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 99,602 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં સંક્રમણથી વધુ 30 લોકોના મોત થયા છે. મૃત્યાંક વદીને 5,25,077 થઈ ગઈ છે. દેશમાં કોવિડ 19ની સારવાર લઈ રહેલા કેસોની સંખ્યા વધીને 99,602 થઈ ગઈ છે. જે કુલ કેસમાં 0.23 ટકા છે. આંકડા મુજબ દર્દીઓનો સાજા થવાનો નેશનલ રેટ 98.56 ટકા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં દૈનિક સંક્રમણ દર 3.35 ટકા, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 3.30 ટકા, દેશમાં હાલમાં કુલ 4,28,08,666 લોકો સંક્રમણમુક્ત થઈ ચુક્યા છે. અને કોવિડ 19થી મૃત્યુદર 1.21 ટકા છે. જ્યારે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત પણ કોવિડ 19 વિરોધી રસીના 197.46 કરોડથી વધારે ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
દેશમાં આવી રીતે વધી રહ્યા છે કોરોનાના કેસ
અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં સાત ઓગસ્ટ 2020થી સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના 30 લાખ, અને પાંચ સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધારે થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ મામલે 16 સપ્ટેમ્બર 2020ના 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર કેસ થયા હતા.