ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. નવા SOP અનુસાર, વિદ્યાર્થી પોતાના શિક્ષકો પાસેથી માર્ગદર્શન લઇ શકે છે. પરંતુ આ તેમની સ્વેચ્છા પર છે એટલે કે જો તેઓ જવા ઇચ્છે છે, તો જઇ શકે. તેના પર શાળાએ જવા કોઇ દબાણ નહી. આના માટે વાલીની લેખિત મંજૂરી જરૂરી.
સ્કૂલ ખોલવા મુદ્દે ગાઇડલાઇન જાહેર
ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે SOP
21 સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓ જઇ શકશે સ્કૂલ
સ્કૂલ ખોલવા મુદ્દે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ હવે શાળાએ જઈ શકશે અને પોતાના શિક્ષક પાસે માર્ગદર્શન મેળવી શકશે. તો શાળાએ જતા વિદ્યાર્થીઓ માસ્ક ફરજિયાત પહેરવુ પડશે. સાથે જ 6 ફુટનું ફિઝિકલ અંતર રાખવું પડશે. આ પ્રકારે, સ્ટાફ રૂમ, ઓફિસ એરિયા અને અન્ય જગ્યાઓ મેસ, લાઇબ્રેરી અને કૈફેટેરિયામાં પણ સોશિયલ ડિસ્ટેન્સિંગ ફરજિયાત કરવું પડશે. તો દરેક વિદ્યાર્થી અને શિક્ષકે સ્કૂલની મુલાકાત દરમિયાન આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે.
સ્કૂલ એસેમ્બલી, સ્પોર્ટ્સ અને અન્ય ઇવેન્ટમાં ભીડભાડ પર કડક પ્રતિબંધ હશે. સ્કૂલને કોઇ પણ ઇમરજન્સીની સ્થિતિમાં સંપર્ક કરવા માટે શિક્ષકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓને રાજ્ય હેલ્પલાઇન નંબર અને સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીના નંબર પણ બોર્ડ પર ડિસ્પ્લે કરવા પડશે.
એર-કંડીશનિંગ અને વેન્ટિલેશન માટે તમામ એર કંડીશનિંગ સાધનોનું તાપમાન સેટિંગ 24-30 ડિગ્રી સેલ્સિયસની મર્યાદામાં હોવું જોઇએ. આ સિવાય સંબંધિત ભેજનું પ્રમાણ 40-70ની મર્યાદામાં હોવું જોઇએ. ક્લાસરૂમમાં તાજી હવા જરૂરી છે. કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી અપાશે. સ્કૂલે જનાર વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.