કેન્દ્ર સરકારે રવિવારે સાંજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને ઈન્ટરનેશનલ પ્રવાસીઓ માટે સુધારિત ગાઈડલાઈન્સ બહાર પાડી છે.
ઈન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન્સ
હેલ્થ મિનિસ્ટ્રીએ બહાર પાડી ગાઈડલાઈન્સ
સફર પહેલા પ્રવાસીઓએ ટ્રાવેલ હિસ્ટ્રી દેખાડવી પડશે
નેગેટિવ RT-PCR એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે
વિદેશથી આવતા પ્રવાસીઓએ એરપોર્ટ પર કરાવવો પડશે કોરોના ટેસ્ટ
12 દેશોમાંથી આવતા યાત્રીઓ માટે ગાઈડલાઈન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સુધારિત ગાઈડલાઈન્સમાં જણાવાયું કે સફર પહેલા પ્રવાસીઓએ ટ્રાવેલ હિસ્ટ્રી દેખાડવી પડશે અને પ્રવાસીઓએ નેગેટિવ RT-PCR રિપોર્ટ કેન્દ્ર સરકારના એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે. સરકારે 12 દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે આ ગાઈડલાઈન્સ જારી કરી છે.
As per Health Ministry's guidelines, travellers from 'countries at-risk' will need to take COVID test post arrival & wait for results at airport
If tested negative they'll follow, home quarantine for 7 days. Re-test on 8th day & if negative, further self-monitor for next 7 days pic.twitter.com/LQakAisNQ4
ભારત આગમન કોરોના ટેસ્ટ કરાવવો પડશે
સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સમાં એવું પણ જણાવાયું છે કે નવા વેરિયન્ટની ચપેટમાં આવેલા દેશોના પ્રવાસીઓએ ભારત આગમન બાદ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. યાત્રીઓએ એરપોર્ટ પર ટેસ્ટના પરિણામની રાહ જોવી પડશે. જો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો તે 7 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે અને 8 મા દિવસે ફરી વાર કોરોના ટેસ્ટ કરાવવો પડશે જો ફરી વાર રિપોર્ટ નેગેટિવ આવે તો આગામી દિવસ સુધી પોતાની દેખરેખમાં રહેશે.
12 દેશોના લોકોએ RT-PCR નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત
યુરોપ, બ્રાઝિલ, આફ્રિકા, ચીન, ન્યૂઝિલેન્ડ, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, ઈઝારાયેલ, સિંગાપોર, મોરેસિયસ અને હોંગકોંગથી આવતા યાત્રિકોને 72 કલાક પહેલાનો RT-PCR નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. સાથે ભારત આવતા 14 દિવસ ક્વોરન્ટાઈન રહેવુ પડશે. યાત્રીકોએ 14 દિવસની ટ્રાવેલિંગ હિસ્ટ્રી બતાવવી પડશે. યાત્રીઓ કઈ જગ્યાએ સ્ટે કરવાનો તે બતાવવુ પડશે.
As per Health Ministry's guidelines, travellers from 'countries at-risk' will need to take COVID test post arrival & wait for results at airport
If tested negative they'll follow, home quarantine for 7 days. Re-test on 8th day & if negative, further self-monitor for next 7 days pic.twitter.com/LQakAisNQ4
સરકારે 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી છે
ઓમિક્રોન વેરિયન્ટને પગલે દુનિયાના દેશો ઈન્ટરનેશનલ ફ્લાઈટ અટકાવી રહ્યાં છે કેટલાક તેના પર પ્રતિબંધ મૂકી રહ્યાં છે. ભારતે પણ 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી છે.
ગૃહ મંત્રાલયે બોલાવી ઈમરજન્સી બેઠક
કોરોના વાયરસના નવા વેરિન્યટ ઓમિક્રોનને પગલે પ્રધાનમંત્રી મોદીની સમીક્ષા બેઠક બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ એક્શનમાં આવ્યું છે. કેન્દ્રયી ગૃહ સચિવની અધ્યક્ષતામાં રવિવારે એક ઈમરજન્સી બેઠક મળી હતી જેમાં ઓમિક્રોનની વૈશ્વિક સ્થિતિની ચર્ચા કરવામાં આવી તથા બચાવના ઉપાયોને વધારે મજબૂત કરવાના મુદ્દે ચર્ચા થઈ. બેઠક બાદ ગૃહમંત્રાલયના અધિકારીએ એવું જણાવ્યું કે સરકાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ, ખાસ કરીને જોખમ શ્રેણી તરીકે ઓળખાયેલા દેશોમાંથી આવનાર લોકોની તપાસ અને દેખરેખ પર એસઓપીની સમીક્ષા કરાશે. ગૃહ મંત્રાલયે એવો પણ નિર્ણય કર્યો છે કે કોરોના નવા વેરિયન્ટ માટે જીનોમ ચકાસણીને વધારે મજબૂત બનાવાશે.