દેશમાં કોરોના વધતા ટેન્શનમાં આવેલી કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોને પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડવાનો આદેશ આપ્યો છે.
દેશમાં કોરોના કેસ વધતા સરકાર એલર્ટ
પાંચ રાજ્યોને પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડવાનો આદેશ
ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રિટ, વેક્સિન અને કોરોના નિયમોનું પાલન
મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુમાં વધી રહ્યાં છે કેસ
દેશમાં કોરોનાની નવી લહેર શરુ થઈ હોવાનું લાગી રહ્યું છે. હાલમાં પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુમાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર ટેન્શનમાં આવી છે અને તાબડતોબ પાંચ રાજ્યો માટે એક એડવાઈઝરી જારી કરીને તેમને પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડવાનો નિર્દેશ આપ્યો છે.
Union Health Ministry is closely monitoring the COVID19 situation in Maharashtra, Kerala, Delhi, and Karnataka and has asked them to follow the five-fold strategy, i.e, Test-Track-Treat-Vaccination and adherence to COVID Appropriate Behavior: Official Sources
પાંચ રાજ્યો પર સરકારની બાજનજર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુમાં કોવિડ 19 ની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તેમને પાંચ-સ્તરીય વ્યૂહરચના, એટલે કે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ યોગ્ય વર્તનને અનુસરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડવાનો રાજ્યોને આદેશ
રાજ્યોને જે પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ અનુરુપ વ્યવહારનો સમાવેશ થાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે 4 જૂને ઉપરોક્ત પાંચ રાજ્યોને પત્ર લખીને કોરોનાના વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરી હતી. તાજેતરના નિર્દેશમાં, કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે તેઓ ઝડપથી વધી રહેલા કોરોના કેસો પર નજર રાખે અને ચેપને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લે.
કયા પાંચ રાજ્યોમાં કેસ વધી રહ્યાં છે
મહારાષ્ટ્ર
કેરળ
તામિલનાડુ
દિલ્હી
કર્ણાટક
પાંચ સ્તરીય રણનીતિમાં શું સામેલ
કેસનું ટેસ્ટિંગ વધારવું
દર્દીઓની ઝડપી સારવાર
નવા કેસ પર બાજનજર રાખવી
વેક્સિનેશન
કોરોના અનુરુપ વ્યવહારની ખાતરી
ભારતમાં ગુરુવારે કોરોનાના નવા 7240 કેસ
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની ગતિ ફરી એકવાર વધવા લાગી છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા કેસોમાં 40 ટકાનો વધારો થયો છે. દેશમાં આજે કોરોના સંક્રમણના 7240 નવા કેસ નોંધાયા હતા અને 8 લોકોના મોત થયા હતા. ગઈકાલે 5233 નવા કોવિડ કેસ નોંધાયા હતા અને 7 મૃત્યુ નોંધાયા હતા.જૂન મહિનામાં ભારતમાં અત્યાર સુધીમાં 39,400થી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસોમાંથી 20,000 થી વધુ કેસ ફક્ત આ અઠવાડિયે જ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં સક્રિય કોવિડ -19 કેસોની સંખ્યામાં 3,641 નો વધારો થયો છે. દેશમાં હવે કોરોનાના 32,498 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના 0.07 ટકા છે. ભારતમાં કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 5,24,723 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 3,500 થી વધુ લોકો સાજા થવાની સાથે રિકવરી રેટ 98.72% પર સ્થિર રહ્યો છે.