દેશમાં કોરોનાના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ભલે કોરોનાના કેસ ઓછા થતા હોય પરંતુ સાવધાની રાખવી એટલીજ જરૂરી છે.
પાંચ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે કરી વર્ચ્યુઅલ મીટિંગ
કોરોનાના કેસ છેલ્લા અમુક દિવસોથી દેશામાં ઓછા નોંધાઈ રહ્યા છે. ત્યારે આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું કહ્યું કે છેલ્લા 2 સપ્તાહથી કોરોનાના કેસ ઓછા નોંધાઈ રહ્યા છે. પરંતુ હજુ પણ સાવધાની રાખવી વધારે જરૂરી છે જેથી આપણે કોરોના સામે લડી શકીશું.
5 રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ
કોરોનાની સ્થિતીને લઈને મનસુખ માંડવિયાએ 5 પૂર્વીય રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. જેમા ઓડિશા, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય મંત્રીઓ તેમજ ત્યાના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
હોસ્પિટલમાં દરેક વ્યવસ્થા રાખવા સૂચન
મનસુખ માંડવિયાએ આ પાચેય રાજ્યોને અપીલ કરી કે તેઓ સંક્રમણની ગતી પર નજર રાખે સાથેજ એવી અપીલ પણ કરી તેઓ RTPCR ટેસ્ટની સંખ્યા વધારે ભાર આપે. સાથેજ તેમણે કહ્યું કે હોસ્પિટલમાં જે કોરોનાના દર્દીઓ ભરતી થાય છે તેમની મોતની સંખ્યા પર પણ કડક નજર રાખે. ઉપરાંત દર્દીઓને ઓક્સિજન. આઈસીયુ, બેડ અને વેંટિલેટર પુરતા પ્રમાણમાં મળી રહે તેને લઈને યોગ્ય વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું.
કડક પગલ લેવા કર્યો આગ્રહ
ઉલ્લેખનીય છે કે મનસુખ માંડવિયાએ પૂર્વીય રાજ્યોને સૂચના આપતા કહ્યું કે 15 થી 17 વર્ષની ઉંમરના બાળકોમાં વેક્સિનેશન વધુ ઝડપી બનાવો. સાથેજ દરેક હોસ્પિટલમાં ઈ-સંજીવની જેવા ટેલી કંસલ્ટેશન કેન્દ્ર સ્થાપિત કરવા પર વિચાર કરવા માટે પણ કહ્યું હતું. દરેક મંત્રીઓને તેમણે સૂચના આપી કે હોસ્પિટલોમાં સુવિધાઓ પુરતા પ્રમાણમાં રાખવા આવે. સાથેજ કોરોનોની ચેઈન તોડવા તેમણે કડક પગલા લેવા માટે પણ આગ્રહ કર્યો હતો.