કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે ગુજરાતમાં બનેલી ભારતબાયોટેક કોવેક્સિન રસીનો પહેલા જથ્થો રવાના કર્યો છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રી ગુજરાત પ્રવાસે
અંકલેશ્વરમાં થઈ રહ્યું છે કોવેક્સિનનું ઉત્પાદન
આજે કોવેક્સિનનો પહેલો જથ્થો રવાના
કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે અંકલેશ્વરમાં ભારત બાયોટેકના પ્લાન્ટની મુલાકાત કરી, ત્યારે ગુજરાતમાં બનેલી ભારતબાયોટેક કોવેક્સિન રસીનો પહેલા જથ્થો રવાના કર્યો છે.
અંકલેશ્વરમાં થઈ રહ્યું છે કોવેક્સિનનું ઉત્પાદન
મહત્વનું છે ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન ગુજરાતમાં થઈ રહ્યું છે આજે પ્રથમ જથ્થો રવાના કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારે આજથી 20 દિવસ પહેલા 18 ઓગષ્ટે ગુજરાતના અંકલેશ્વર ખાતે ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સીનના ઉત્પાદન માટે એકમ મંજૂર કર્યું છે.કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આ અંગે માહિતી આપી હતી.
ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ રહ્યા ઉપસ્થિત
આજે કેન્દ્રિય આરોયગ્ય મંત્રી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગુજરાતમાં બનેલી ભારત બાયોટેકની કોવેક્સિનનો થથો રવાના કરી દેવામાં આવ્યો છે, આ અગાઉ મનસુખ માંડવિયાએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે વડાપ્રધાન મોદીના વિઝન સૌને રસી, મફત રસી નિર્ણયથી રસીની ઉપલબ્ધતામાં વધારો કરવામાં આવ્યો છે અને ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
દેશને દર મહિને 1 કરોડ વધુ ડોઝ મળશે
સાથે જ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વેક્સિનેશનમાં કોવેક્સિન ભારતમાં મહત્વનો હિસ્સો છે તેમજ આગામી સમયામાં દેશને દર મહિને 1 કરોડથી વધુ ડોઝ મળશે એટલું જ નહીં તેમણે 2 મહિનામાં અમદાવાદની કંપનીમાં પણ વેક્સિન બનતી થઈ જશે તેવું જણાવ્યું હતું સાથે જ ઝાયડસને પણ ત્રીજા ટેસ્ટની મંજૂરી અપાઈ ગઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં તેમને જ કહ્યું કે સામુહિક પ્રયાસોથી કોરોના સંક્રમણને રોકી શકાય છે, એટલે કોવિડના નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવે તે મહત્વનું છે.
રાજ્યમાં નોંધાયા આટલા કોરોનાના કેસ
મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. રાજ્યમાં બીજી લહેરમાં કોરોના પહેલીવાર 10 કેસ નોંધાયા છે. 27 ઓગસ્ટ સુધી સતત 9 દિવસ 20થી ઓછા કેસ નોંધાયા હતા, જ્યારે 14 દર્દી સાજા થયા છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. જો વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 2 નવા કેસ નોંધાયા છે. આજે 4 કોર્પોરેશન અને 2 જિલ્લામાં નવા કેસ નોંધાયા છે. જ્યારે 4 કોર્પોરેશન અને 31 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો છે.