100 ટકા વેક્સિનેશન માટે મોટું એલાન કરતા ગઈકાલે જ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે હવે બધાને ઘેર બેઠા વેક્સિન મળી રહે તે માટે 'હર ઘર દસ્તક અભિયાન શરુ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હવે એવા દરેક ઘરમાં દસ્તક દેવામાં આવશે કે જ્યાં અત્યાર સુધી કોરોના વેક્સિનના બન્ને ડોઝ લાગ્યા નથી. ઘર ઘર વેક્સિન આ જુસ્સા સાથે આપણે બધાના ઘેર વેક્સિન પહોંચાડવાની છે.ત્યારે આજે કેન્દ્રીય આરોગ્યમંત્રી ભાવનગરના પાલિતાણામાં પહોંચી PM મોદીની હાકલના પગલે ઘરે ઘરે જઈ વેકસીન આપવાની શરૂઆત કરાવી છે.
आज अपने गृह नगर पालिताना में हूं। PM @NarendraModi जी के आह्वान #HarGharDastak का अनुसरण करते हुए शेत्रुंजी गांव के लोगों के घर जाकर मैंने वैक्सीन के लिए दस्तक देकर अपनी दिवाली मनाई।
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હર ઘર દસ્તક નામની યોજના કરાવી શરૂ
ગઈ કાલે જ પીએમ મોદીએ કહ્યું હતું કે અત્યાર સુધી તમે બધાએ તમામ લોકો સુધી વેક્સિન પહોંચાડવાનું કામ કર્યું છે પરંતુ હવે દરેક ઘર સુધી વેક્સિન પહોંચાડવાનું કામ કરો. જેથી કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માડવિયાએ આજે ભાવનગરના પાલિતાણાના શેત્રુંજી ડેમ ગામ ખાતે હર ઘર દસ્તક નામની યોજના કરાવી શરૂ કરાવી છે. જેમાં ઘરે ઘરે જઈ વેકસીન ન લીધેલા લોકોને ડોઝ આપવાનું નક્કી કરાયું છે. જે રાહે મનસુખ માડવિયાએ પણ પોતે આરોગ્ય અધિકારી સાથે જઈ ગામડામાં ફરી વેકસીન ન લીધેલા લોકોને કોરોનાની રસી આપી હતી.ત્યારે 100 કરોડ ડોઝની પૂર્ણતા બાદ હવે એ દિવસ દૂર નથી કે ભારતનું દરેક ઘર દરેક નાગરિક કોરોના વેકસીનના બંને ડોઝ પૂર્ણ કરી દીધા હશે. આવો દિવાળીના તહેવારે સંકલ્પ કરીએ કે ન વેકસીન લીધા વિના રહીશું ન આજુ બાજુના લોકોને રહેવા દઈશું
ગઈકાલે PM મોદીએ શું આહ્વાન કર્યું હતું
પીએમ મોદીએ કહ્યું કે લોકોને વેક્સિન લેતા કરવા માટે જરુર પડે તો ધર્મગુરુઓની પણ મદદ લેવી જોઈએ. મોદીએ કહ્યું કે એક પડકાર અફવા અને ભ્રમ દૂરવો તે પણ છે. વાતચીત દરમિયાન તેનો ઉલ્લેખ થયો હતો. અફવા અને ભ્રમ દૂર કરવાનો એક સારો ઉપાય એ પણ છે કે લોકોને વધારેમાં વધારે સચેત કરવામાં આવે તેમાં તમે (કલેક્ટર્સ) સ્થાનિક ધર્મગુરુઓની પણ મદદ લઈ શકો છો. મોદીએ કહ્યું કે હમણા થોડા સમય પહેલા જ મારી વેટિકનમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત થઈ છે. વેક્સિન પર ધર્મગુરુઓનો સંદેશ પણ આપણે લોકો સુધી પહોંચતો કરવો પડશે.