દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રોજ 90 હજારથી વધારે કોરોના વાયરસના દર્દીઓ આવી રહ્યા છે. આ સમયે સંસદના મોનસૂન સત્રમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. આ ચર્ચામાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે કોરોના મહામારીની લડાઈમાં ભારતની જીત વધારે દૂર નથી.
લોકસભામાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે કોરોના વાયરસની લડાઈમાં ભારતને સફળતા મળી રહી છે. આપણે જીતની નજીક છીએ. દુનિયામાં 145 ઉમેદવાર વેક્સીનની શોધ કરી રહ્યા છે અને 35નું ક્લિનિકલ ટ્રાયલ પણ ચાલુ છે. ભારતમાં 30 વેક્સીન ઉમેદવારોને મદદ કરાઈ રહી છે. તેમાંથી 3 એડવાન્સ ટ્રાયલમાં છે.
પીએમ કેયર્સ ફંડથી મળી છે આટલી રકમ
સ્વાસ્થ્ય મંત્રાલયે પીએમ કેયર્સ ફંડથી વેન્ટિલેટર માટે રૂપિયા મેળવ્યા. તેને લઈને કોરોના મહામારી પર ચર્ચા સમયે લોકસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે 50 હજાર મેડ ઈન ઈન્ડિયા વેન્ટિલેટર માટે પીએમ કેયર્સ ફંડથી સ્વાસ્થ્ય મંત્રાલયને 893.93 કરોડ રૂપિયા મળ્યા છે.
યોગ્ય પગલાં લેવા જરૂરી
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કોરોનાથી લડવા માટે યોગ્ય પગલાં લેવા પડશે. કોરોના હવામાં જીવિત રહી શકતો નથી. તેનું સંક્રમણ એક શરીરથી અન્ય શરીરમાં થાય છે. આ માટે સાવધાની રાખવી પડશે. આખો દેશ કોવિડની લડાઈમાં સામેલ છે.