દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 1,00,00,000ની ઉપર પહોંચી ગયો છે. બધાની નજર કોરોના વેક્સીની પર મંડરાયેલી છે. કોરોના મહામારીની વચ્ચે હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું છે કે જાન્યુઆરીમાં કોઇપણ અઠવાડિયામાં કોરના વેક્સીન ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ થઇ જશે. ડો. હર્ષવર્ધનને કોરોના વેક્સીનના આવવાથી લઇને તેના વિતરણ પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી.
1) ડો. હર્ષવર્ધનના જણાવ્યાં મુજબ ભારત સરકાર વેક્સીનને મામલામાં કોઇ ઉતાવળ કરવા માગતી નથી. જે વેક્સીન સૌથી વધારે સક્ષમ હશે તેને પ્રાથમિકતા આપવામાં આશે. સરકારનું લક્ષ્ય સક્ષમ વેક્સીનને આમ જનતા સુધી પહોંચાડવાનું છે.
2) ડો. હર્ષવર્ધને જણાવ્યું કે સૌથી પહેલા 30 કરોડ લોકોને કોરોના વેક્સીન આપવાનું લક્ષ્ય છે. જેના માટે દરેક રાજ્યની સરકાર પાસેથી યાદી મંગાવામાં આવી છે, જેને કોરોનાનો પહેલો ડોઝ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે અમે નિષ્ણાંતોનું એક ગ્રુપ બનાવ્યું હતું જેમાં ઘણા સમય સુધી મંથન કરવામાં આવ્યું, આ સાતે દુનિયામાં જે ટ્રેંડ ચાલી રહ્યો છે તેના મુજબ યાદી તૈયાર કરાવામાં આવી રહી છે.
3) આરોગ્ય મંત્રીના જણાવ્યાં મુજબ શરુઆતમાં જે 30 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે, જેમાં 1 કરોડ હેલ્થ વર્કર, 2 કરોડ ફ્રંટ લાઇન વર્કર (પોલીસ, આરોગ્ય કર્મચારી, સેના વેગેર) સામેલ છે.
4) કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ફ્રંટલાઇન વર્કરની સાથે 26 કરોડ લોકોને નક્કી કરવામાં આવ્યા છે જે તો 50 વર્ષથી વધારે ઉંમરના છે અને કોઇને ગંભીર બિમારીથી પીડિત છે.
5) ડો. હર્ષવર્ધને કોરોના વેક્સીનના વિતરણને લઇને કહ્યું કે ભારત સરકારના છેલ્લા 4 મહીનાના રાજ્યની સાથે વેક્સીનેશનની તૈયારીમાં જોડાયેલ છે. લોકોને સુરક્ષિત રીતે કોરોના વેક્સીન આપવા માટે 260 જિલ્લાના 20 હજારથી વધારે કામદારોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
6) આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે કોઇ વ્યક્તિ ક્યારે અને ક્યાં કોરોના વેક્સીન આપવામાં આવશે, તે અંગેની જાણકારી ફોન પર તે વ્યક્તિને મળી જશે. બધા રાજ્યો પાસેથી યાદી અમારી પાસે પહોંચી ગઇ છે. અમારી ટીમ આ યાદી પર કામ કરી રહી છે.
7) ડો. હર્ષવર્ધને જણાવ્યું કે કોરોના વેક્સીનો પહેલો ડોઝ આપવા માટે જે લોકોના નામ નક્કી કરવામાં આવ્યાં છે જો તેમાથી કેટલાક લોકો વેક્સીન લેવાનો ઇન્કાર કરે છે તો તેના પર સરકાર કોઇપણ પ્રકારનો દબાવ નહી કરે.
8) ડો. હર્ષવર્ધને કહ્યું કે કેટલાક મહીનો પહેલા સુધી દેશમાં 10 લાખ એક્ટિવ કેસ હતા જે ઘટીને હવે 3 લાખના અંદાજે છે. તેમણે કહ્યું કે દેશમાં અત્યાર સુધી કોરોનાના 1 કરોડથી વધારે કેસ સામે આવ્યાં છે, પરંતુ તેમાં 95 લાખથી વધારે દર્દી ઠીક થઇને તેમના ઘરે જઇ ચૂક્યાં છે.
9) ડો. હર્ષવર્ધને કહ્યું કે ભારતનો રિકવરી રેટ દુનિયામાં સૌથી સારો છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે દેશમાં છેલ્લા 10 મહિનામાંથી જે સંકટમાંથી પસાર થઇ રહ્યો છે તે હવે પૂર્ણ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે. કોરોનાની આ જંગમાં આજે ભારત દુનિયાના અન્ય દેશોની સરખામણીની સ્થિતિમાં સારુ છે.
10) આરોગ્ય મંત્રીએ હાલમાં જ જણાવ્યું હતું કે કોરોના વાયરસની 260 વેક્સીન અલગ-અલગ તબક્કામાં છે, જેમાં આઠનું નિર્માણ ભારતમાં થઇ રહ્યું છે. જેમાં ત્રણ સ્વદેશી છે. પરંતુ રસીની સુરક્ષાને લઇને તેના પ્રભાવ થવા સુધી વૈજ્ઞાનિક અને નિયામકના માનંદડો પર કોઇ સમજૂતિ ન હોય.