કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વિરેન્દ્ર કુમારે એવું જણાવ્યું કે દેશના દરેક જિલ્લામાં વૃદ્ધાશ્રમ શરુ કરવાની સરકારની યોજના છે.
દેશના દરેક જિલ્લામાં વૃદ્ધાશ્રમ બનાવવાની સરકારની યોજના
કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રીએ કહ્યું
250 જિલ્લાની ઓળખ કરાઈ
એનજીઓની મદદથી વૃદ્ધાશ્રમ શરુ કરાશે
ઘરમાંથી કાઢી મૂકાયેલા વૃદ્ધોને મળશે રહેવા અને જમવાની સગવડ
ઘરમાંથી કાઢી મુકાયેલા વૃદ્ધોને ટેકો આપવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક નવી યોજનાની જાહેરાત કરશે. કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી વિરેન્દ્ર કુમારે કહ્યું કે સરકાર દેશના દરેક જિલ્લામાં વૃદ્ધાશ્રમ ખોલવા માંગે છે, જેથી વૃદ્ધોને ત્યાં રહેવાની જગ્યા મળી શકે. સરકાર દ્વારા શરુ થનારા એજ ઓલ્ડ હોમમાં વૃદ્ધોને મફતમાં રહેવા અને જમવાની સગવડ પૂરી પાડવામાં આવશે.
Under the guidance of Hon'ble Prime Minister @narendramodi, @MSJEGOI is implementing security schemes for the social upliftment of Scheduled Castes (SCs), senior citizens, victims of alcoholism and drug abuse, transgender persons, beggars, etc.#PMO@Drvirendrakum13pic.twitter.com/Nf5oEUO9qD
પહેલા તબક્કામાં 250 જિલ્લાઓની ઓળખ કરાઈ
પ્રથમ તબક્કામાં સરકારે વૃદ્ધાશ્રમ ખોલવા માટે 250 જિલ્લાઓની ઓળખ કરી છે. આ જિલ્લાઓમાં સરકાર સ્થાનિક એનજીઓની મદદથી વૃદ્ધોને રહેવાની સગવડ પૂરી પાડશે.
પછાત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ યોજનામાં પણ થશે ફેરફાર
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વિરેન્દ્ર કુમારે છેલ્લા આઠ વર્ષમાં તેમના મંત્રાલય દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે સરકાર વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમની યોજના તૈયાર કરી રહી છે. આ ઉપરાંત પછાત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપતી યોજનાઓમાં પણ ફેરફાર કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે, કારણ કે આવી યોજનાઓ અંગે અનેક ફરિયાદો ઉઠી છે.
100 જિલ્લાઓને નશામુક્ત કરાશે
સામાજિક ન્યાય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એવું જણાવ્યું કે સરકાર નશામુક્તિ અભિયાન ધમધોકાર ચલાવી રહી છે અને 100 જિલ્લાઓને સંપૂર્ણ નશામુક્ત કરવાનો હેતુ છે.
એસસી, એસટી અને બીજી જાતિઓ માટે 36,164 કરોડનો ખર્ચ કર્યો
ડો.વિરેન્દ્ર કુમારે સોમવારે કહ્યું હતું કે તેમના મંત્રાલયે અનુસૂચિત જાતિઓ, અન્ય પછાત વર્ગો, બિન-સૂચિત અને વિચરતી જનજાતિઓના શૈક્ષણિક ઉત્થાન માટે 2014-15 થી અત્યાર સુધીમાં 36,164 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા છે. તેમણે કહ્યું કે 11 કરોડ વિદ્યાર્થીઓને તેનો લાભ મળ્યો છે. મંત્રાલય અનુસૂચિત જાતિઓ, વરિષ્ઠ નાગરિકો, મદ્યપાન અને નશીલા દ્રવ્યોનાં દુરુપયોગનો ભોગ બનેલા લોકો, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ અને ભીખારનાં સામાજિક ઉત્થાન માટે યોજનાઓ અમલમાં મૂકી રહ્યું છે તથા છેલ્લાં આઠ વર્ષમાં તેમાં રૂ. 10,304 કરોડનો ખર્ચ કર્યો છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાઓથી 42 લાખથી વધારે લોકોને લાભ થયો છે.