ઉલ્લેખનીય છે કે, નિશંકે ટ્વીટ કરીને આ જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેઓ ડોક્ટરની સલાહ મુજબ દવા લઇ રહ્યો છું. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરાવવા માટે અપીલ પણ કરી હતી.
મંત્રાલયનું કામકાજ ચાલુ રહેશે
ટ્વીટ કરીને તેમણે કહ્યું હતું કે, મંત્રાલયમાં કામકાજ જરૂરી સાવધાનીઓ રાખીને સામાન્ય રીતે ચાલુ જ રહશે.
This is to inform you all that I have tested COVID positive today. I am taking medication & treatment as per the advice of my doctors.
Request all those who have come in my contact recently to be observant, and get themselves tested.
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) April 21, 2021
6 દિવસ પહેલા PM મોદી સાથે કરી હતી મુલાકાત
આપને જણાવી દઇએ કે, 5 દિવસ પહેલા એટલે કે 14 એપ્રિલના રોજ શિક્ષણમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શિક્ષણ મંત્રાલય અને CBSEના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી કાર્યલયમાં બેઠક યોજી હતી. ત્યારબાદ CBSE ધોરણ 12ની પરીક્ષા અને ધોરણ 10ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
છેલ્લા 5 દિવસમાં આ 10 નેતા થયાં કોરોના સંક્રમિત
1) રણદીપ સુરજેવાલા- કોંગ્રેસના સિનિયર નેતા અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને પોતાને કોરોના થયો હોવાની જાણકારી આપી હતી તેમણે લોકોને ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપી હતી.
(2) હરસિમરત કૌર- અકાલી દળના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરને પણ કોરોના થઈ ચૂક્યો છે.
(3) દિગ્વવિજય સિંહ-કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વવિજય સિંહનો પણ કોરોના ટેસ્ટ પોઝિટીવ આવી ચૂક્યો છે.
(4) જિગ્નેશ મેવાણી-અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ કોરોનો પોઝિટીવ થઈ ચૂક્યા છે.
(5) યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે
(6) ત્રિપુરાના સીએમ વિપ્લવ દેબ પણ કોરોના પોઝિટીવ થયા હતા.
(7) પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પણ કોરોના પોઝિટીવ થયા હોવાથી એમ્સમાં દાખલ છે.
(8) જિતેન્દ્ર સિંહ-કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનો કોરોના ટેસ્ટ પણ 20 એપ્રિલે પોઝિટીવ આવ્યો છે.
(9) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો કોરોના ટેસ્ટ પણ 20 એપ્રિલે પોઝિટીવ આવ્યો છે.
(10) મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતા આદિત્ય ઠાકરેનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.
24 કલાકમાં દેશમાં 2020 કોરોના દર્દીઓના મોત
ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે. દર રોજ નવા કેસ રેકોર્ડ બનાવી રહ્યા છે. પણ આ વખતે મોતના આંકડાઓએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. કોરોનાની બીજી લહેરમાં દેશમાં પહેલી વાર ન ફક્ત કેસ 3 લાખની નજીક આવ્યા છે બલ્કે સૌથી વધારે 2 હજાર મોત પણ થયા છે. આ રીતે મહામારીની બીજી લહેર દર રોજ પોતાનો રેકોર્ડ તોડી રહી છે. વર્લ્ડોમીટર મુજબ મંગળવારે રાતે 12 વાગે 24 કલાકમાં દેશમાં 2020 કોરોના દર્દીઓના મોત થયા છે.
મંગળવારે 2, 94,115 કરોના વાયરસના નવા સંક્રમિત મળ્યા
આંકડા મુજબ આ સમયમાં મંગળવારે 2, 94,115 કોરોના વાયરસના નવા સંક્રમિત મળ્યા છે. આ દેશમાં એક દિવસમાં મળેલા કુલ નવા સંક્રમિતોના સૌથી મોટી સંખ્યા છે. સતત 5માં દિવસે કોરોનાથી રેકોર્ડ બ્રેક મોત નોંધાયા છે. આ મહામારીની શરુઆતથી લઈને અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલી સૌથી મોટી સંખ્યા છે. મરનારાની કુલ સંખ્યા વધીને 1,82, 570 થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1, 56, 09, 004 છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 21, 50, 119 છે. કુલ સંક્રમિતોની સંખ્યા 13. 8 ટકા છે.