કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 3-8 વર્ષના બાળકોના પ્રાથમિક શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ રુપરેખા બહાર પાડી છે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાષ્ટ્રીય અભ્યાસક્રમ રુપરેખા બહાર પાડી
3-8 વર્ષના બાળકોના પ્રાથમિક શિક્ષણમાં લેવાશે અનેક પગલાં
આવતા વર્ષે લાગુ કરાશે
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે ત્રણથી આઠ વર્ષની વય જૂથના બાળકોના પ્રાથમિક શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ રુપરેખા બહાર પાડી છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ રુપરેખામાં બાળકની શરુઆતની સંભાળ અને તેના શૈક્ષણિક વિકાસને કેન્દ્રસ્થાને રખાયો છે. લોકાર્પણ પ્રસંગે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાષ્ટ્રીય અભ્યાસક્રમ રુપરેખા નવી શિક્ષણ નીતિ -2020 ના અમલીકરણ માટે લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. હું નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઇઆરટી)ને આગામી વસંત પંચમી સુધીમાં અભ્યાસક્રમ, અને પાઠયપુસ્તકો પૂર્ણ કરવા પણ અપીલ કરું છું.
રાષ્ટ્રીય અભ્યાસક્રમ રુપરેખા બે ભાગમાં વહેંચાઈ
રાષ્ટ્રીય અભ્યાસક્રમ રુપરેખાને બે ભાગમાં વહેંચવામાં આવી છે જેમાં ઘરમાં 0-3 વર્ષની ઉંમરના બાળકો અને સંસ્થાગત સ્તરે 3-8 વર્ષના બાળકોને રાખવામાં આવ્યાં છે. 3-8 વર્ષના બાળકોને પણ બે ભાગમાં વિભાજીત કરાયા છે જેમાં 3-6 વર્ષની ઉંમરના બાળકોના આંગણવાડી, બાલ વાટિકામાં ભણનાર છોકરાઓ માટે શરુઆતી બાલ્યાવસ્થા શિક્ષણ કાર્યક્રમ અને 6-8 વર્ષની ઉંમરના બાળકોની શ્રેણીમાં શરુઆતી પ્રાથમિક શિક્ષણ સામેલ છે.
Union Education Minister Dharmendra Pradhan launches National Curriculum Framework for foundational stage education of children in 3-8 years age group
આગામી વર્ષે રાષ્ટ્રીય અભ્યાસક્રમ રુપરેખાને લાગુ પાડવામાં આવશે
રાષ્ટ્રીય અભ્યાસક્રમ રુપરેખાને જાણીતા વૈજ્ઞાનિક કસ્તૂરીરંગનની અધ્યક્ષતાવાળી સમિતિએ તૈયાર કરી છે અને તેને હવે રાજ્યોને મોકલી આપવામા આવશે અને રાજ્યો તથા લોકોની ભલામણ, સૂચનોને આધારે આગામી વર્ષે લાગુ પાડવામાં આવશે એટલે કે આ રુપરેખા લાગુ થયા બાદ નર્સરી અને ત્રીજા ધોરણ સુધીના વિદ્યાર્થીઓના પાઠપુસ્તકો નવા આવશે.
રાષ્ટ્રીય અભ્યાસક્રમ રુપરેખા ચાર વિભાગો
રાષ્ટ્રીય અભ્યાસક્રમ રુપરેખા ચાર વિભાગો છે – શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું, પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું, શિક્ષક માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું અને પ્રૌઢ શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું.
રાષ્ટ્રીય અભ્યાસક્રમ રુપરેખામાં 'પંચકોશા' અવધારણા
આ માળખામાં બાળકોના શિક્ષણ માટે 'પંચકોશા' અવધારણાની યાદી આપવામાં આવી છે અને તેના પાંચ ભાગમાં શારીરિક વિકાસ (શારીરિક વિકાસ), જીવન ઊર્જાનો વિકાસ (પ્રાણિક વિકાસ), ભાવનાત્મક અને માનસિક વિકાસ (માનસિક વિકાસ), બૌદ્ધિક વિકાસ (બૌદ્ધિક વિકાસ) અને આધ્યાત્મિક વિકાસ (ચૈતસિક વિકાસ) નો સમાવેશ થાય છે.