ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે બાજરી-જુવારની MSP માં 50 ટકા અને અડદ દાળની MSP માં 60 ટકાનો વધારો કર્યો છે.
ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
બાજરી-જુવારની MSP માં 50 ટકાનો વધારો
અડદ દાળની MSP માં 60 ટકાનો વધારો
મોદી સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતો માટેની એક મોટી રાહતરુપ પગલાંમાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ઘણા બધા ખરીફ પાકોની MSP માં વધારાની મંજૂરી આપી છે.
મીડિયા બ્રીફિગમાં કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા કૃષિ મંત્રી તોમરે જણાવ્યું કે ડાંગરના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલે રુ. 1868 થી વધારીને પ્રતિ ક્વિન્ટલે રુ.1940 કરાયા છે. તેમણે કહ્યું કે આ જ રીતે બાજરી, ધાન અને બીજા પાકોના ટેકાના ભાવમાં પણ વધારો કરાયો છે. તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે રુ.452 તથા તુવેર અને અડદના પાકમાં પ્રતિ ક્વિન્ટલે 300 રુપિયાનો વધારો કરાયો છે.
Cabinet has approved MSP for kharif crops for marketing season 2021-22. Highest absolute increase in MSP over the previous year has been recommended for sesamum (Rs 452 per quintal) followed by tur & urad (Rs 300 per quintal each): Govt of India
ડાંગર- પ્રતિ ક્વિન્ટલે રુ.1940
તલ-પ્રતિ ક્વિન્ટલે રુ 452
તુવેર અને અડદ પ્રતિ ક્વિન્ટલે 300 રુપિયા
મગફળીના ટેકાના ભાવમાં મણ દીઠ રુ.55 નો વધારો
કૃષિ મંત્રીની મોટી જાહેરાત- MSP વર્તમાનમાં અને ભવિષ્યમાં ચાલુ રહેશે
એમએસપી પર સરકારની પ્રતિબદ્ધતાની વાત કરતા કૃષિ મંત્રીએ કહ્યું કે પાકોની હાલની ખરીદી ચાલુ રહેશે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે જો ખેડૂતો કોઈ સૂચન લઈને આવે તો અમે તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે એમએસપી પર કોઈએ પણ ભ્રમમાં રહેવાની જરુર નથી, હાલમાં પણ એમએસપી છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
To make travelling in Railway more secure, Modi government has decided to provide 4G spectrum to railways. It will improve its communication system & make rail travel safer. Rs 25000 Cr will be spent for signal modernization and 5G spectrum implementation.#CabinetDecisionspic.twitter.com/fgsVqmIy4q
— Prakash Javadekar (@PrakashJavdekar) June 9, 2021
રેલવે અંગે કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય લીધો
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના બીજા નિર્ણયોની જાણકારી આપતા જણાવ્યું કે રેલવેને700 મેગાહર્ટ્સ બેન્ડમાં 5 મેગાહર્ટ્સ સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવશે. જેનાથી રેલવે તેની કમ્યુનિકેશન સિસ્ટમ સુધારી શકશે અને રેલ યાત્રાને વધારે સુરક્ષિત કરી શકશે. તેમણે કહ્યું કે રેલવેમાં આધુનિકીકરણ અને 5 જી સ્પેક્ટ્રમ અમલીકરણ પર આગામી 5 વર્ષમાં 25,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કેબિનેટે રામાગુંડમ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડમાં સુધારાની સાથે નવી રોકાણ નીતિને પણ મંજૂરી આપી છે.