લોકસભા 2019ની ચૂંટણીમાં એનડીએને નહી પરંતુ ભાજપને જ પુર્ણ બહુમતી મળી છે. 303 બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. હવે લોકોની નજર નવી સરકારની રચના પર છે. પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પહેલા મોદીએ કેબિનેટની અંતિમ બેઠક કરી હતી. લોકસભા ભંગ કરવા સંબંધિત પ્રસ્તાવને મંજુરી આપવાની ઔપચારિક વિધી આટોપી હતી.
President Ram Nath Kovind today hosted a banquet in honour of the outgoing Union Council of Ministers, led by Prime Minister Narendra Modi, at the Rashtrapati Bhavan (Pictures courtesy- President of India's Twitter account) pic.twitter.com/wyATPCbPRU
લોકસભા 2019ની ચૂંટણીમાં એનડીએને નહી પરંતુ ભાજપને જ પુર્ણ બહુમતી મળી છે. હવે લોકોની નજર મોદી સરકારના નવા મંત્રી મંડળમાં કોને સ્થાન મળે છે તેના પર દેશવાસીઓની નજર છે. રાષ્ટ્રપતિને પ્રસ્તાવ આપવા જતા પહેલા ભાજપ કેબિનેટની અંતિમ બેઠક યોજાઇ હતી.
Delhi: External Affairs Minister Sushma Swaraj arrives for Union Cabinet meeting; the meeting has begun. pic.twitter.com/qqJj3BpBA6
જેમાં સુષ્મા સ્વરાજ, સ્મૃતિ ઇરાની અને બીજા મંત્રી હાજર રહ્યા હતા. આ અંતિમ કેબિનેટ મિટિંગમાં તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા. નાણામંત્રી અરૂણ જેટલી નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહ્યા ન હતા.
ઉલ્લખેનીય છે કે, નવી સરકાર બનાવવા માટેનો પ્રસ્તાવ આપવા ભાજના નેતાઓએ રાષ્ટ્રપતિને પ્રસ્તાવ આપ્યો છે. હવે આવતી કાલે ભાજપ સંસદીય દળની બેઠક થશે. બેઠકમાં નરેન્દ્ર મોદી ઔપચારિક રીતે ભાજપ સંસદીય દળનાં નેતા તરીકે ચૂંટાશે. બાદમાં એનડીએની બેઠક મળવાની છે.
જેમાં ઉદ્ધવ ઠાકરે, રામ વિલાસ પાસવાન સહિત તમામ એનડીએ નેતા અને સાંસદો હાજર રહેવાના છે. આ બેઠકમાં પણ નરેન્દ્ર મોદી એનડીએનાં નેતા તરીકે પસંદ કરવામાં આવશે. ત્યાર બાદ મંત્રી મંડળની રચનાનો પોર્ટફોલિયો લઇને અમિત શાહ શનિવાર અને રવિવારે અલગ અલગ એનડીએ દળો સાથે વિચાર-વિમર્શ કરશે અને બાદમાં 30 મેના રોજ પ્રધાનમંત્રી અને મંત્રીઓ શપથ લેશે.