નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે ત્યારે આજે મોદી કેબિનેટની બેઠક મળી છે. આ બેઠકમાં મોદી સરકાર રાષ્ટ્રિય જનસંખ્યા રજિસ્ટર ( NPR ) પર આગળ વધી શકે છે. તેના આધારે નાગરિકનું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. આ બેઠક બાદ આજે NPRને મંજૂરી મળી શકે છે.
આજે મળી પીએમ મોદીની કેબિનેટ બેઠક
NPR અને જનસંખ્યાના બજેટ પર થઈ શકે છે ચર્ચા
NPR માટે જરૂરી રહેશે આ પ્રોસેસ
મળતી માહિતી અનુસાર આજે મળનારી કેબિનેટ બેઠકમાં NPRને લઈને મંજૂરી આપવામાં આવે તેવી ચર્ચા છે. NPRમાં દેશના સામાન્ય નાગરિકોની ગણતરી કરવામાં આવે છે. જે સ્થાનિક વિસ્તારોમાં છેલ્લા 6 મહિના કે તેનાથી વધારે સમય રહ્યા છે અથવા આવનારા 6 મહિના સુધી તેને વધારે સમય એ વિસ્તારમાં વધારે સમય સુધી રહેવાની તેમની યોજના છે.
અધિકૃત વેબસાઈટ પરથી મળતી માહિતી મુજબ રાષ્ટ્રિય વસ્તી ગણતરી માટે છેલ્લી વાર 2010માં આંકડા આવ્યા હતા. જ્યારે 2011ને માટે વસ્તી ગણતરી કરવામાં આવી હતી. આ આંકડા ફરીથી 2015માં અપડેટ કરાયા હતા. આ માટે ઘરે ઘરે જઈને સર્વેક્ષણ કરાયું હતું. હવે સરકારે નિર્ણય લીધો છે કે 2021ની વસ્તી ગણતરીના સમયે આસામ સિવાય દરેક રાજ્યોના કેન્દ્રશાસિત પ્રદેશોના માટે આંકડા અપડેટ કરાશે. આ માટે પહેલેથી જ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
શું છે NPR?
રાષ્ટ્રિય જનસંખ્યા રજિસ્ટર (NPR)ની મદદથી સરકાર દેશના દરેક નાગરિકની જાણકારી રાખી શકે છે.
આ માટે દરેક ભારતીય નાગરિકનો બાયોમેટ્રિક રેકોર્ડ લેવાસે અને તેની વંશાવલિ પણ જાણવામાં આવશે.
જો વ્યક્તિ 6 મહિના કે તેનાથી વધારે સમયથી આ વિસ્તારમાં રહે છે તો તેણે NPRમાં નામ નોંધાવવાનું રહેશે.
NPRને સરકાર રાષ્ટ્રીય સ્તર, રાજ્ય સ્તર, જિલ્લા, ઉપ જિલ્લા અને સ્થાનીય સ્તરે તૈયાર કરી રહી છે.
NPR ત્રણ ભાગમાં તૈયાર થશે. પહેલું 1 એપ્રિલ 2020થી લઈને 30 સપ્ટેમ્બર 2020ની વચ્ચે થશે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને આંકડા મેળવશે.
અન્ય ભાગમાં 9 ફેબ્રુઆરી 2021થી 28 ફેબ્રુઆરી 2021 સુધી રહેશે. આ પછી ત્રીજો ભાગ શરૂ થશે. જેમાં મેળવવામાં આવેલા આંકડામાં સંશોધન કરવામાં આવશે.
શા માટે જરૂરી છે NPR?
NPRનો હેતુ દેશના દરેક રહેવાસીની ઓળખ માટે એક મોટો આંકડો તૈયાર કરવાનો છે. તેમાં દરેક રહેવાસીની જનસંખ્યા જાણકારીની સાથે તેમનું બાયોમેટ્રિક પણ નોંધવાનું રહેશે.