કેન્દ્રીય કેબિનેટની આજે મળનારી બેઠકમાં શેરડીના ખેડૂતો મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે. એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ અંતર્ગત શેરડીના નિકાસ પર ખેડૂતોને આર્થિક વળતર મળશે. સરકાર પ્રતિ કિલો 6 રૂપિયા ઇન્સેન્ટિવ આપે તેવી શક્યતા છે, આ સાથે કૃષિ કાયદાઓના વિરોધ મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
કેન્દ્રીય કેબિનેટની આજે બેઠક મળશે
શેરડીના ખેડૂતો મુદ્દે લેવાઇ શકે નિર્ણય
શેરડીના નિકાસ પર મળશે આર્થિક વળતર
ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્રીય કેબિનેટની એક બેઠક મળવા જઈ રહી છે. વીડિયો કોન્ફરન્સિંગની મદદથી આ બેઠક સવારે 11.25 મિનિટે મળશે. આ બેઠકમાં પીએમ મોદી પણ સામેલ થઈ શકે છે.
શેરડીના નિકાસ પર મળશે આર્થિક વળતર
મળતી માહિતી અનુસાર બુધવારે કેબિનેટની બેઠકમાં એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમના આધારે ખાંડ મેન્યુફેક્ટરરને 60 લાખ ટન સ્વીટનર માટે એક્સપોર્ટ માટે પ્રતિ કિલો 6 રૂપિયાનું ઈન્સેન્ટિવના આધારે લગભગ 3600 કરોડ રૂપિયાની મંજૂરી મળી શકે છે. આ ઇન્સેન્ટિવ ખાંડ મીલના શેરડીના ખેડૂતોની બાકી રકમ જાહેર કરવામાં મદદ કરશે.
મોદી સરકારની પ્રાથમિકતામાં સૌથી પહેલાં ખેડૂતો
ખાંડના મિલ માલિકોને આ ઇન્સેન્ટિવ શેરડીના ખેડૂતોના એરિયર ક્લીઅર કરવાના રહેશે. જેનાથી ખેડૂતોને સીધો ફાયદો થશે. મોદી કેબિનેટના આ નિર્ણયથી શેરડી ખેડૂતોને સીધો ફાયદો થશે. મોદી સરકારનો આ શેરડીના ખેડૂતોને માટે આ નિર્ણય એવા સમયે આવી રહ્યો છે જ્યારે ખેડૂતો પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યૂપીના કૃષિ કાયદાની વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. કેબિનેટના આ નિર્ણયથી મોદી સરકાર સંદેશ આપશે કે તેમની સરકારની પ્રાથમિકતામાં સૌથી પહેલાં ખેડૂતો છે.
પીએમ મોદીએ મંગળવારે કચ્છના પ્રવાસમાં ખેડૂતોને કહ્યું કે તેમની દરેક શંકાના સમાધાન માટે સરકાર તૈયાર છે.ખેડૂતોનું હિત સરકારની પ્રાથમિકતા છે. અમે ખેડૂતોની આવક વધારવાના નિર્ણય લઈ રહ્યા છીએ. દેશના દરેક ખૂણે ખેડૂત નવા કાયદાની સાથે છે. જે લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે અને રાજનીતિ કરી રહ્યા છે, ખેડૂતોના ખભે બંદૂક રાખીને વાર કરી રહ્યા છે.