કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે નવા ત્રિપલ તલાક બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સિવાય મંત્રીમંડળે જમ્મુ-કશ્મીરમાં છ મહીના માટે રાજ્યપાલ શાસનનાં વિસ્તારને મંજૂરી આપી દેવામાં આવી છે. મુસ્લિમ મહિલાઓને ધ્યાનમાં રાખતા થયેલ મોદી સરકાર સંસદ સત્રમાં ત્રણ તલાક બિલ રજૂ કરશે. મંત્રીએ જણાવ્યું કે, કેબિનેટે જમ્મુ-કશ્મીર રિઝર્વેશન બિલ 2019ને મંજૂરી આપી દીધી છે કે જેનાંથી જમ્મુ-કશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમાની નજીક રહેનારા લોકોને રાહત મળશે. કેન્દ્રીય મંત્રીમંડળે આરક્ષણ માટે ત્યાં 1954નાં રાષ્ટ્રપતિ આદેશમાં ફેરફાર કરીને આરક્ષણની જોગવાઇમાં ફેરફાર કર્યો છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે નવા ત્રિપલ તલાક બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સિવાય મંત્રીમંડળે જમ્મુ-કશ્મીરમાં છ મહીના માટે રાજ્યપાલ શાસનનાં વિસ્તારને મંજૂરી આપી દેવામાં આવી છે. મુસ્લિમ મહિલાઓને ધ્યાનમાં રાખતા થયેલ મોદી સરકાર સંસદ સત્રમાં ત્રણ તલાક બિલ રજૂ કરશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટનાં નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે, જૂના અધ્યાદેશને જ બિલને તબ્દીલ કરવામાં આવશે.
200 પોઇન્ટ રોસ્ટર માટે રજૂ થશે બિલઃ
પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, વિશ્વવિદ્યાલયોમાં 200 પોઇન્ટ રોસ્ટરનાં હિસાબની નિયુક્તિ માટે સદનમાં બિલ લાવવામાં આવશે. તેઓએ કહ્યું કે, 'કોર્ટે 13 પોઇન્ટ રોસ્ટરનો જે નિર્ણય આપ્યો હતો, તેનાંથી અનુસૂચિત જાતિ અને જનજાતિનાં વર્ગનાં લોકોને નુકસાન થઇ રહ્યું હતું. જેથી કેન્દ્રીય કેબિનેટે નિર્ણય કર્યો કે 200 પોઇન્ટ રોસ્ટર પુનઃસ્થાપિત કરવા માટે સરકારે જે અધ્યાદેશ લાવી હતી તેને હવે બિલ તરીકે સદનમાં રજૂ કરવામાં આવશે.
#Cabinet approves the #JammuKashmir Reservation (Amendment) Bill, 2019; move aimed as relief for persons in J&K residing in areas adjoining International Border; they can now avail reservation in direct recruitment, promotion and admission in different professional courses. pic.twitter.com/hfOolOeQPC
મંત્રીએ જણાવ્યું કે, કેબિનેટે જમ્મુ-કશ્મીર રિઝર્વેશન બિલ 2019ને મંજૂરી આપી દીધી છે કે જેનાંથી જમ્મુ-કશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમાની નજીક રહેનારા લોકોને રાહત મળશે. કેન્દ્રીય મંત્રીમંડળે આરક્ષણ માટે ત્યાં 1954નાં રાષ્ટ્રપતિ આદેશમાં ફેરફાર કરીને આરક્ષણની જોગવાઇમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત જ્યાં જમ્મુ-કશ્મીરમાં નિયંત્રણ રેખાની પાસે રહેનારા લોકોની સાથે સાથે હવે આંતરરાષ્ટ્રીય સીમા પર રહેનારા લોકોએ પણ આરક્ષણનો લાભ મળશે. અત્યાર સુધી તો માત્ર નિયંત્રણ રેખાની પાસે રહેનારા લોકો માટે જ આ સુવિધા ઉપલબ્ધ હતી. આ સિવાય કેન્દ્ર સરકારે આધાર અને અન્ય કાયદાકીય (સંશોધન) બિલ, 2019ને મંજૂરી આપી દીધી છે. હવે કોઇ પણ વ્યક્તિને આધાર નંબર ઉપલબ્ધ કરાવવા માટે મજબૂર નહીં કરી શકાય.
#Cabinet approves the #JammuKashmir Reservation (Amendment) Bill, 2019; move aimed as relief for persons in J&K residing in areas adjoining International Border; they can now avail reservation in direct recruitment, promotion and admission in different professional courses pic.twitter.com/USP0TpTN7U
તમને જણાવી દઇએ કે મંત્રીઓને જવાબદારી સોંપાયા બાદ કેન્દ્રીય મંત્રીપરિષદની પ્રથમ બેઠક બુધવારનાં રોજ થઇ. જેમાં સરકારનાં લઘુ અને દીર્ઘકાલિક એજન્ડા પર ચર્ચા કરવામાં આવી. આ બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારનાં તમામ સચિવો સાથે થયેલી વાતચીતનાં આગલા દિવસે થઇ.