બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મોટા નિર્ણય લેવાયા છે. કેન્દ્ર સરકારે 2022-23 ની સિઝન માટે રવિ પાકની MSP માં વધારાને મંજૂરી આપી છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મોટા નિર્ણય લેવાયા
કેન્દ્ર સરકારે રવિ પાકની MSP માં કર્યો મોટો વધારો
સરકારે ઘઉની MSP માં 40 રુપિયાનો વધારો કર્યો
સરકારે ઘઉની MSP માં 40 રુપિયાનો વધારો કર્યો
2021-22 ની સીઝન માટે 40 રુપિયાના વધારા સાથે ક્વિન્ટલ દીઠ ઘઉનો ભાવ 2,015 રુપિયો કરાયો છે. સરકારે બીજા પાકોની એમએસપીમાં પણ વધારો કર્યો છે જેની યાદી નીચે પ્રમાણે છે.
કયા પાકની MSP માં કેટલો વધારો
ઘઉં-40 રુપિયા
ચણા-140 રુપિયા
જવ-35
મસૂર- 400
રાઈ-400
સુર્યમૂખી-114
કેન્દ્ર સરકારે 2021-22 ના વર્ષ માટે મિલો પાસેથી ખરીદાયેલી શેરડીનો ભાવ ક્વિન્ટલ દીઠ 290 રુપિયાનો નક્કી કર્યો છે. ઓક્ટોમ્બરથી આવતા સપ્ટેમ્બર સુધી શેરડીની સીઝન હોય છે. અગાઉની સિઝનમાં ક્વિન્ટલ દીઠ શેરડીનો ભાવ 285 રુપિયા હતો. આ રીતે ખેડૂતો ક્વિન્ટલ દીઠ 5 રુપિયાનો વધારો મળશે.
કેન્દ્ર સરકારે PLI સ્કીમને મંજૂરી આપી, સાત લાખ લોકોને રોજગારી મળવાનો દાવો
કેન્દ્રીય કેબિનેટે ટેક્સટાઇલ સેક્ટર માટે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે PLI સ્કીમને મંજૂરી આપી છે જે માનવ નિર્મિત ફાયબર સેગમેન્ટ અને ટેકનિકલ ટેક્સટાઇલ માટે છે. આ યોજના માટે આશરે 11 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.
શું છે MSP
MSP ઓછામાં ઓછા ટેકાના ભાવ છે. આ ભાવે સરકાર ખેડૂતો પાસેથી અનાજ અને પાકની ખરીદી કરે છે. હાલના સમયમાં સરકાર ખરીફ અને રવિ બન્ને સિઝનમાં ઉગાડવામાં આવતા 23 પાકો માટે એમએસપી નક્કી કરે છે. ખરીફ (ઉનાળુ પાક) ની કાપણી પછી તરત જ ઓક્ટોબરથી રવી (શિયાળુ પાક) પાકની વાવણી શરુ થઈ જાય છે. ઘઉં અને સરસવ રવિ પાકમાં મુખ્ય છે.