કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનના લિસ્ટીંગને મંજૂરી આપી દેવામાં આવી છે.
મોદી સરકારે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનને આપી મંજૂરી
5 વર્ષમાં ECGC માં 4,400 કરોડ રૂપિયાનું રોકાણ કરશે સરકાર
આ નિર્ણયને કારણે 59 લાખ રોજગારીનું થશે સર્જન
મોદી કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આપી માહિતી
કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે કેબિનેટે સ્ટોક એક્સચેન્જ પર આઇપીઓ મારફતે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ECGC)ની લિસ્ટિંગને પણ મંજૂરી આપી દીધી છે.
ફોર્મલ સેક્ટરમાં 59 લાખ રોજગારીનું સર્જન થશે
તેમણે કહ્યું કે તે આવતા વર્ષે સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ કરવામાં આવશે. પીયૂષ ગોયલે એવી પણ માહિતી આપી હતી કે સરકાર આગામી 5 વર્ષમાં ECGC માં 4,400 કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જેના કારણે ઔપચારિક ક્ષેત્રમાં 2.6 લાખ નોકરીઓ સહિત 59 લાખ રોજગારીનું સર્જન થવાની સંભાવના છે.
Union Cabinet approves Rs 4,400 crore investment in ECGC Ltd. in 5 years to provide support to exporters as well as banks; move to help create 59 lakh new jobs including 2.6 lakh in the formal sector: Govt of India
તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે નાના નિકાસકારો નિકાસ કરે છે, ત્યારે તેઓ ઇચ્છે છે કે તેમનું વીમા કવર ત્યાં હોય. જો કોઈ કારણસર ચુકવણી કરવામાં નહીં આવે તો ચુકવણી માટેની વીમા સુવિધા ઇસીજીસી કરશે. તેમણે દાવો કર્યો હતો કે 21 સપ્ટેમ્બર સુધીમાં દેશમાંથી 185 અબજ ડોલરની નિકાસ કરવામાં આવી છે, જે ભારતના ઇતિહાસમાં પ્રથમ 6 મહિનામાં સૌથી વધુ છે.
ચીનથી આવતા સફરજન પર આયાત ડ્યુટી ઘટાડવા અંગે સવાલ પૂછવામાં આવતા પીયૂષ ગોયલે કહ્યું કે આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે એવી અફવાઓ છે કે સરકારે ચીનથી આવતા સફરજન પરની ડ્યુટી ઘટાડી છે, પરંતુ આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તે સંપૂર્ણપણે પાયાવિહોણું છે. એવું લાગે છે કે કેટલાક લોકો પાસે માત્ર અફવાઓ ફેલાવવાનું કામ છે.