લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારની જીત બાદ આવતીકાલે કેન્દ્રિય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે..દેશના સૌ કોઈ નાગરિકની આશા અને અપેક્ષા છે કે બજેટમાં મોદી સરકાર દ્વારા રાહત આપવામાં આવે..ખાસ કરીને ગૃહિણીઓ,ખેડૂતો અને પગારધારકોને સરકાર પાસેથી ઘણી ખરી આશા છે..ત્યારે બજેટમાં આખરે લોકોને કેટલી રાહત મળે છે તે તો બજેટ બાદ જ ખ્યાલ આવશે..પરંતુ તે પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં 2018-19નો આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યો..જે અંતર્ગત GDP 7 ટકા રહેવાની આશા વ્યક્ત કરાઈ છે.સર્વેમાં ઈંધણના ભાવમાં ઘટાડો,ઉપરાંત અર્થતંત્રમાં ગતિ આવવાની પણ આશા વ્યક્ત કરાઈ છે..જો કે સર્વેમાં ભલે જે કંઈ પણ હોય પરંતુ જોવાનું એ છે કે આખરે બજેટમાં લોકોને શું રાહત મળે છે...આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન