બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:27 AM, 23 July 2024
મોદી સરકારે નાણા બજેટમાં પહેલી મોટી જાહેરાત કરતાં પીએમ ગરીબ કલ્યાણ યોજનાને વધુ 5 વર્ષ લંબાવી દીધી છે.
ADVERTISEMENT
ગરીબોને 5 કિલો મફત અનાજ
મોદી સરકારની આ યોજનામાં ગરીબોને દર મહિને 5 કિલો અનાજ મફતમાં મળે છે. સરકારે હવે વધુ 5 વર્ષ આ યોજનાને લંબાવી હોવાથી ગરીબોનું પેટ ભરાતું રહેશે. કેન્દ્ર સરકારે ગરીબોને મે અને જૂન મહિનામાં ફ્રીમાં રાશન આપવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી 80 કરોડ લોકોને ફાયદો થશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે પણ દેશના ગરીબોને ફ્રીમાં રાશન આપ્યું હતું. જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમે રાશન ડીલર પાસેથી ફ્રીમાં અનાજ મેળવી રહ્યા નથી તો તમે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો.
ADVERTISEMENT
કોને અને કેટલું મળશે અનાજ
પીએમ ગરીબ કલ્યાણ યોજનાના આધારે રાશન કાર્ડ ધારકોને લાભ મળશે. માની લો કે તમારા રાશન કાર્ડમાં 4 લોકોના નામ છે તો એક વ્યક્તિને 5 કિલોના આધારે કુલ 20 કિલો અનાજ મળી શકે છે. આ અનાજ દર મહિને મળનારા રાશનથી અલગ હશે. જો તમે દર મહિને રાશન કાર્ડ પર 5 કિલો અનાજ મળે છે તો તમે મે અને જૂન મહિનામાં 5 કિલો વધારે અનાજ મેળવી શકો છો.
વધુ વાંચો : VIDEO : 'સફેદ-ગુલાબી સાડી, હાથમાં બજેટ ટેબલેટ', FM સીતારમણ અનોખા અંદાજમાં
કયા ડોક્યુમેન્ટની જરુર
આ યોજનામાં લાભાન્વિત બનવા માટે લોકો પાસે રાસન કાર્ડ હોવું જરૂરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નક્કી કરેલા રાસનથી વધુ માત્રામાં રાસન આપવામાં આવી રહ્યું છે. જેમાં કુલ 80 કરોડથી પણ વધુ લોકોને સહાય આપવામાં આવી રહી છે. પરંતુ જે લોકો પાસે રાસન કાર્ડ નહિ હોય તેઓ આ લાભ મેળવી શકશે નહીં. આપવામાં આવતી સહાય પરિવાર દીઠ છે.
આધાર કાર્ડ સાથે લિંક
એવા જ લોકોને અનાજ મળે છે કે જેઓની પાસે રાસન કાર્ડ છે અને તે પણ આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે. આ લાભ તમે નજીકની સરકારી દુકાનથી મેળવી શકો છો. જો ડોક્યુમેન્ટ્સ યોગ્ય હશે તો દુકાનદાર તમને અનાજ આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.