મોદી સરકાર આજે બજેટમાં ખેડૂતો માટે 2 મોટી જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2021-22 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રખાયું છે. આ સિવાય સરકાર પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અને કિસાન ક્રિડેટ કાર્ડને લઈને મોટી જાહેરાત કરી શકે છે.
ખેડૂત આંદોલનની વચ્ચે રજૂ થશે બજેટ
બજેટમાં ખેડૂતો માટે આ 2 મોટી જાહેરાત થઈ શકે છે
નાણામંત્રી ખેડૂતો માટે લાવી શકે છે સારા સમાચાર
સંસદના બંને સદનમાં પાસ થયેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા લગભગ 70 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચેની અનેક વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી. આજે રજૂ થનારા બજેટમાં નાણામંત્રી 2 મોટી જાહેરાત કરી શકે છે.
બજેટ પહેલા રખાઈ છે આ આશા
બજેટ રજૂ કરતા પહેલા અનુમાન રખાયું છે કે સરકાર પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અને કિસાન ક્રિડેટ કાર્ડને લઈને મોટી જાહેરાત કરી શકે છે. રીએમ કિસાન યોજનામાં મળતી 6000ની વાર્ષિક રકમને 10000 સુધી કરી શકાય છે. આ સાથે કૃષિ કાયદાના વિરોધની વચ્ચે સરકાર ખેડૂતોને સંદેશ આપશે કે તેમના હિત માટે તેઓ જરૂરી પગલાં લઈ રહી છે.
2021-22 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય
શક્ય છે કે 2021-22 સુધી સરકાર તેમના દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં પગલાં લેશે. 2019-20માં સરકારનું બજેટ ખેતી માટે 1.51 લાખ કરોડ રૂપિયા હતું કે આ વખતે વધીને 1.54 લાખ કરોડનું હોઈ શકે છે. આ સાથે મોદી સરકારની પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમમાં પણ ખેડૂતને વાર્ષિક 6000 રૂપિયા એકાઉન્ટમાં 2000ના હપ્તા રૂપે મળે છે તે ઓછા હોઈ તેને વધારવાની યોજના છે. આ યોજના 2018માં શરૂ કરાઈ હતી. અત્યાર સુધી 11.47 કરોડ ખેડૂતોને તેનો લાભ મળી ચૂક્યો છે.
કેસીસીની લિમિટ વધારવાની તૈયારી
કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ કાયદાનું લક્ષ્ય વધારીને 19 લાખ કરોડ રૂપિયા સુધી કરી શકે છે. કેન્દ્ર સરકાર 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના હેતુને ધ્યાનમાં રાખીને કૃષિ ઉધારનું લક્ષ્ય વધારીને 19 લાખ કરોડ રૂપિયા કરી શકે છે. સરકાર ખેડૂતો માટે અનેક સ્કીમ ચલાવી રહી છે જેમાંથી એક કિસાન ક્રેડિટ કાર્ડ છે તેમાં ખેતીના કામ માટે સસ્તા દરે લોન આપવામાં આવે છે. મોદી સરકાર આ બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી શકે છે.
ખેડૂત ક્રેડિટ કાર્ડ પર ખેડૂતોને ઓછું વ્યાજ મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડની મદદથી ખેડૂતો, પશુપાલક અને માછીમારોને અનેક લાભ મળે છે. સરકાર માર્ચ 2021 સુધી દેશના ખેડૂતોને કુલ 15 લાખ કરોડ રૂપિયા કૃષિ લોનના રૂપે વહેંચવાનું લક્ષ્ય રાખી રહી છે. હાલમાં દેશમાં 8 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ ધારક બની ચૂક્યા છે.