કોરોના કાળમાં બેરોજગારી, વાયરસ, વેક્સિન, ચીન, ખેડૂત આંદોલન, મોંઘવારી, કૃષિ કાયદા વિવાદ સહિત અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે. એવામાં ગૃહિણીઓથી લઈને ખેડૂતને આ બજેટથી દરેકને ઘણી આશાઓ છે.
આજે સવારે 11 વાગે રૂજ થશે બજેટ 2021
નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે સામાન્ય બજેટ
રોજગાર, મોંઘવારી અને ટેક્સ સહિત આ મુદ્દાઓ પર રહેશે નજર
આ મુદ્દાઓ પર રહેશે નજર
કોરોના કાળમાં બેરોજગારી, વાયરસ, વેક્સિન, ચીન, ખેડૂત આંદોલન, મોંઘવારી, કૃષિ કાયદા વિવાદ સહિત અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે. એવામાં ગૃહિણીઓથી લઈને ખેડૂતને પણ આ બજેટથી અનેક આશાઓ છે. એલપીજી ગેસ, મોંઘવારી અને ટેક્સ સ્લેબને લઈને નોકરિયાતોને અનેક નવા અવસર મળે તેવી પણ બજેટથી આશા રાખવામાં આવી રહી છે. આ સૌ પર સરકાર કેટલી સફળ રહે છે તે નાણામંત્રીના બજેટ ભાષણ પરથી ખ્યાલ આવશે.
મિડલ ક્લાસને બજેટથી છે અનેક આશાઓ
કોરોનામાં ઘણાની નોકરીઓ છીનવાઈ છે તો અનેકની સેલેરી ઘટી છે. મિડલ ક્લાસ આ વાતને લઈને પરેશાન છે. સરકારે જે વલગભગ 30 લાખ કરોડનું પેકેજ આપ્યું હતું તેમાં મિડલ ક્લાસ માટે કંઈ ખાસ હતું નહીં હવે મિડલ ક્લાસને આ બજેટથી જ આશા છે.
ટેક્સ છૂટ પર રહેશે નજર
અનેક વર્ષોથી માંગ ચાલી રહી છે કે બેઝિક ટેક્સ છૂટ સીમા 2.5 લાખથી વધારીને 5 લાખ રૂપયા કરવી. મોદી સરકારે વર્ષ 2019-20માં 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક માટે 12500 રૂપિયાની વિશેષ છૂટ આપી અને સાથે 5 લાખ રૂપિયા સુધીની આવકને કર મુક્ત કરવાની કોશિશ કરી પણ સ્થાયી રીતે 5 લાખની આવકને કરમુક્ત કરાય તેવી માંગ થઈ રહી છે.
વર્ક ફ્રોમ હોમ વાળા માટે શું
કોરોના સંકટમાં જે લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તેના કારણે નોકરી કરનારાનો ખર્ચ વધ્યો છે. કર્મચારીઓ વધારાના ખર્ચને કંપી રીઈમ્બર્સ કરે છે. આ રીઈમ્બર્સમેન્ટ પર ટેક્સ લાગે છે. આ માટે આશા છે કે એવી વ્યવસ્થા હોય જેનાથી ટેક્સની બચત થઈ શકે.
વેપારીઓને રાહત મળવાની છે આશા
વેપારી સંગઠને કહ્યું છે કે હાલમાં વેપારી નાણાંકીય સંકટમાં છે. બજેટમાં વેપારીઓને બેંક અને નાણાં સંસ્થાઓથી ઓછું વ્યાજ તથા સરળ વ્યાજ પર સરળ શરતો પર કારોબાર કરવાનું ધન મળે. સાથે માંગ કરાઈ છે કે એક નેશનલ ટ્રેડ પોલિસી ફોર રિટેલ ટ્રેડ, ઈ કોમર્સ પોલિસી અને ઈ કોમર્સ રેગુલેટરી ઓથોરિટી તૈયાર કરાય અને વીડીએસ જાહેર કરાય.
હોમ લોન સસ્તી કે મોંઘી
હોમ લોન વિશે જાણકારો માને છે કે આ માટે મળનારી ટેક્સ છૂટનું પ્રમાણ વધી શકે છે. કલમ 80સીના આધારે 1.5 રૂપિયાની હોમ લોનનું મૂળ ધન આવે છે. આ સીમા વધારવી જોઈએ.
હેલ્થ સેક્ટર પર થઈ શકે છે ફોકસ
એક્સપર્ટનું કહેવું છે કે વેક્સીન અને હેલ્થને વિશે જે સુધારના ઉપાયો કરાયા છે તેમાં મિડલ ક્લાસને ફાયદો થશે. નવી હોસ્પિટલોની સ્થાપના કરાશે. બજેટમાં રોજગાર સર્જન પર ભાર મૂકાશે અને તેનો ફાયદો મિડલ ક્લાસના યુવાઓને મળશે.