દેશનું સામાન્ય બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે. કોરોના મહામારી દરિમયાન આ દેશનું પહેલુ બજેટ હશે. તેવામાં આ બજેટ પર તમામની નજર ટકેલી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આ બજેટને રજુ કરશે. આ દરમિયાન નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે આ બજેટની લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું છે કે આ બજેટ સામાન્ય જનતાની આશાઓ અનુસાર હશે.
અનુરાગ ઠાકુરે સોમવારે ઘરેથી નિકળતા પહેલા પૂજા પણ કરી
આ બજેટ સામાન્ય જનતાની આશાઓ અનુસારનું હશે- અનુરાગ ઠાકુર
પૂર્ણ વિશ્વાસ છે કે અમે જનતાની આશાઓ પર ખરા ઉતરીશુ- અનુરાગ ઠાકુર
આ બજેટ સામાન્ય જનતાની આશાઓ અનુસારનું હશે- અનુરાગ ઠાકુર
નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે નાણા મંત્રાલય અને સંસદ જતા પહેલા કહ્યું કે કેન્દ્રીય બજેટ 2021 સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મૂળ મંત્રની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત વિજનને સાકાર કરવાની દિશામાં એક મીલનો પત્થર સાબિત થશે. આ બજેટ સામાન્ય જનતાની આશાઓ અનુસારનું હશે.
“ #UnionBudget2021 सबका साथ ,सबका विकास ,सबका विश्वास के मूलमंत्र के साथ प्रधानमंत्री श्री @narendramodi जी के आत्मनिर्भर भारत विजन को साकार करने की दिशा में एक मील का पत्थर साबित होगा”
પૂર્ણ વિશ્વાસ છે કે અમે જનતાની આશાઓ પર ખરા ઉતરીશુ- અનુરાગ ઠાકુર
તેમણે કહ્યું કે મોદી સરકારે ગત વર્ષ કોરોના મહામારી દરમિયાન પણ આત્મનિર્ભર પેકેજ આપીને ભારતને નવી દિશા આપી છે. દેશને બચાવ્યો. સરકાર દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી પ્રદાન કરી રહી છે. પૂર્ણ વિશ્વાસ છે કે અમે જનતાની આશાઓ પર ખરા ઉતરીશુ.’
અનુરાગ ઠાકુરે સોમવારે ઘરેથી નિકળતા પહેલા પૂજા પણ કરી
નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આત્મનિર્ભર ભારત બનાવવા અને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થામાં ભારત સતત આગળ વધી રહ્યું છે. આ દિશામાં અમારો સતત પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે અનુરાગ ઠાકુરે સોમવારે ઘરેથી નિકળતા પહેલા પૂજા પણ કરી છે.