સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યું છે. બજેટ સત્રનું પહેલુ ચરણ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજુ ચરણ 2 માર્ચથી 3 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રની વચ્ચે લગભગ એક મહીનાનો અવકાશ રાખવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ બજેટ (Union Budget 2020) રજુ કરશે. નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલુ પૂર્ણ બજેટ હશે.
બજેટ સત્રનું પહેલુ ચરણ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજુ ચરણ 2 માર્ચથી 3 એપ્રિલ સુધી ચાલશે
કેન્દ્ર સરકારની બજેટ ખાધ ચાલૂ નાણાકીય વર્ષમાં જીડીપી (GDP)ના 3.8 ટકા સુધી વધી શકે છે
સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ ૩૧ જાન્યુઆરીથી બજેટસત્ર બોલાવવાની ભલામણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૩૧ જાન્યુઆરીથી ૩ એપ્રિલ વચ્ચે બજેટ સત્ર બે રાઉન્ડમાં યોજવા ભલામણ કરાઇ છે.
બજેટસત્રમાં ગઇ સાલની જેમ ૧ ફેબ્રુઆરીએ જ કેન્દ્રિય સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ આ અંગે જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકારના કાર્યકાળમાં સામાન્ય બજેટને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રજૂ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ અગાઉ ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં બજેટ રજૂ કરવાની
પરંપરા હતી.
સૂત્રોએ જણાવ્યું છે કે બજેટસત્રનો પ્રથમ રાઉન્ડ ૩૧ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી વચ્ચે યોજાશે, જ્યારે બીજા રાઉન્ડમાં ૨ માર્ચથી ૩ એપ્રિલ સુધી સંસદનું બજેટસત્ર ચાલશે. અત્રે ઉલ્લેખનીય છે કે બજેટસત્રના બે રાઉન્ડ વચ્ચે સામાન્યતઃ એક મહિનાનો ગેપ હોય છે. આવું એટલા માટે કરાય છે કે જેથી સંસદીય સમિતિઓ વિભિન્ન મંત્રાલયો માટે કરવામાં આવેલ ફાળવણી અંગે યોગ્ય કાર્યવાહી કરી શકે. કેન્દ્રીય કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ બંને ગૃહોના સત્રને ચલાવવાનો આદેશ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણ બજેટ હશે.
દરમિયાન કેન્દ્રીય બજેટ પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે આજે બેઠક યોજશે. આગામી સામાન્ય બજેટ ૨૦૨૦-૨૧ને ધ્યાનેમાં રાખીને યોજાયેલી આ બેઠકમાં અર્થતંત્રમાં મંદીની સ્થિતિ પર ગંભીર ચર્ચા વિચારણા થશે. વડા પ્રધાન મોદી દેશના અર્થતંત્ર, જીડીપી ગ્રોથ રેટ અને વર્તમાન આર્થિક સ્થિતિ અંગે ચર્ચા કરશે.
બજેટ 2020 સાથે જોડાયેલી 10 મોટી વાતો
બજેટ 2020ને લઇને જનતાની અપેક્ષાઓ ઘણી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે ટેક્સને લઇને મોદી સરકાર જનતાને વધારે રાહત આપવાના મુડમાં નથી.
બજેટ 2020 એવા સમયે આવી રહ્યું છે કે જ્યારે અર્થવ્યવસ્થા લાંબા સમયથી મંદીનો સામનો કરી રહી છે. તમામ ક્ષેત્રોમાં કમજોરીની વચ્ચે હજારો નોકરીઓનું નુકસાન થયું છે.
મોદી સરકારે 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય રાખ્યું છે. અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાઓ પર સરકારે પડકારનો સામનો કરવો પડશે.
કેન્દ્ર સરકારની બજેટ ખાધ ચાલૂ નાણાકીય વર્ષમાં જીડીપી (GDP)ના 3.8 ટકા સુધી વધી શકે છે.
જો સરકાર યુદ્ધ, કૃષિ ઉત્પાદનમાં ઘટાડો અથવા અનિશ્ચિત રાજકોષિય પ્રભાવની સાથે સંરચનાત્મક સુધારાઓથી પસાર થઇ રહી છે તો સરકાર પોતાના લક્ષ્યથી ચૂકી શકે છે.
30 સપ્ટેમ્બરે પૂર્ણ થયેલા ત્રિમાસીક ગાળામાં ભારતનો જીડીપી વૃદ્ધિદર 6 વર્ષના નીચલા સ્તરે 4.5 ટકા સુધી પહોંચી ગયો છે. ઘણા અર્થશાસ્ત્રીઓ અને નાણાકીય સંસ્થાઓએ તેના માટે ખરાબ માંગ અને વપરાશમાં ઘટાડાને જવાબદાર બતાવ્યા.
મોદી સરકારે હાલમાં જ કોર્પોરેટ ટેક્સમાં મોટા ઘટાડાનું એલાન કર્યું હતું. સાથે જ અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે પાયાકીય ઢાંચામાં 102 લાખ કરોડ રૂપિયાની પરિયોજનાની જાહેરાત કરી હતી.
આ દરમિયાન, આંકડા મંત્રાલયે આ સપ્તાહે રાષ્ટ્રીય આવકનું પહેલુ અગ્રિમ અનુમાન જાહેર કર્યું હતું. ભારતની પ્રતિ વ્યક્તિ આવકમાં વધારો નોંધવામાં આવ્યો હતો. સરકાર માટે તેને જાળવી રાખવો કોઇ પડકારથી ઓછું નહીં હોય.
મોદી સરકારને આશા છે કે 2020ના પહેલા ત્રિમાસીક ગાળામાં દેશની જીડીપી 5 ટકાથી વધારેનું લક્ષ્ય હાંસલ કરી લેશે. જો એવુ થાય છે તો આ 11 વર્ષોમાં વિકાસની સૌથી ધીમી ગતિને ચિન્હિત કરશે.
નાણાકીય વર્ષ 2018-19માં વાર્ષિક આર્થિક વિકાસ દર 6.8 ટકા રહ્યો હતો. જે માર્ચ 2019 ખતમ થયો. જીડીપીને લઇને વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પર હુમલાવર છે, એવામાં જીડીપીમાં સુધારા માટે સરકારના પગલાઓ પર વિપક્ષની નજર રહેશે.