આજે કેન્દ્ર સરકારનું લોકસભામાં બજેટ રજૂ થશે. બીજીવાર મોદી સરકાર બન્યા બાદ આજે પ્રથમ બજેટ રજૂ થશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમન લોકસભામાં બજેટ રજૂ કરશે. રોજગારી, અર્થવ્યવસ્થાને ગતિ આપવા પર બજેટમાં ભાર મુકાઈ શકે છે.
આ ઉપરાંત 10 કરોડથી વધુની આવક ધરાવતા લોકો પર સંકટ આવી શકે છે. કારણકે 10 કરોડથી વધુની આવક ધરાવતા લોકો પર સરકાર વધુ ટેક્સ લગાવી શકે તેવી પણ શક્યતા છે. બીજી તરફ, રોકાણકારોને આકર્ષિત કરવા માટે નિયમો ઉદાર બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ થઈ શકે છે.
પીએમ મોદી ફરી સત્તામાં આવ્યા બાદ મોદી સરકારનું આજે પ્રથમ બજેટ રજૂ થશે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, બજેટમાં મધ્યમવર્ગને મોટી રાહત મળી શકે છે. ટેક્સ અને હોમ લોનના વ્યાજ દરમાં પણ ટેક્સમાં છૂટ છાટ મળી શકે છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, વાર્ષિક આવક પર ટેક્સમાં છૂટની મર્યાદા રૂપિયા ત્રણ લાખ થઈ શકે છે. હાલ રૂપિયા અઢી લાખ સુધીની આવક પર ટેક્સ ફ્રી છે. જ્યારે રૂપિયા પાંચથી આઠ લાખ સુધીની આવક માટે પણ નવો સ્લેબ બની શકે છે. જ્યારે રોકાણ પર રૂપિયા 1.5 થી 2 લાખ સુધીની છૂટ મળી શકે છે. ઉપરાંત અઢી લાક સુધીની હોમ લોન વ્યાજ પર પણ ટેક્સમાંથી છૂટ મળી શકે છે.
આ સિવાય નવી સરકાર મધ્યમવર્ગીય લોકોને પણ રાહત આપી શકે છે. ખાસ કરીને ભારત પર જળ સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે બજેટમાં જળ સંરક્ષણ પર પણ સરકાર ભાર મુકી શકે છે. પીએમ મોદી ફરીથી પ્રધાનંત્રી બન્યા બાદ ગત રવિવારે મનકી બાત કરી હતી. જેમાં પીએમ મોદીએ પણ પાણીની વિકટ સમસ્યા પર ભાર મુક્યો હતો.
નોકરી, રોજગારી, કૃષિ, કમજોર મોનસૂન અને બુનિયાદી વિકાસની ચિંતા વચ્ચે નાણાં પ્રધાન નિર્મલા સીતારમન આજે સંસદમાં બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી વિશાળ જનાદેશ મળ્યા બાદ બનેલી નરેન્દ્ર મોદી સરકાર 2.0નું આ પ્રથમ બજેટ છે. આ બજેટની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના સપનાં પૂરા કરવા માટે કડક પગલાં લેવાનો પડકાર હશે.
કેન્દ્ર સરકારના બજેટમાં શું છે આશા..?
સરકારની મદદથી ઓટો સેકટરમાં આવી શકે છે સુધાર
બેંકિગ સેકટરમાં સરકારી બેંકોને મળી શકે છે નાણાં
કિસાન ક્રેડિટ કાર્ડ પર મળી શકે છે વ્યાજ મુક્ત લોન
દેશની જનતાને છે આશા, ત્રણ લાખ રૂપિયાથી શરૂ થઇ છે ટેક્સ સ્લેબ