સરકારે 5 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહી લગાવાની જાહેરાત કરી છે. નવા ઘર ખરીદનારને વ્યાજમાં સાડા ત્રણ લાખ સુધીની છૂટની સરકારે જાહેરાત કરી છે. સરકારે 1 થી 20 રૂપિયાના નવા સિક્કાની જાહેરાત કરી છે. નાણં મંત્રીએ કહ્યું કે સરકાર વિદેશ નીતિ પર પણ જોર આપી રહી છે. વિદેશમાં રહેનારા ભારતીયો માટે સરકારે મોટી જાહેરાત કરી છે.
સોનુ, પેટ્રોલ, ડીઝલ, તમાકુ બધુ થશે મોંઘુ
સોનું અને કિંમતી ધાતુ પર 12.5 ટકા ટેક્સ લાગશે. સોનાની આયાત પર કસ્ટમ ડયૂટીમાં વધારો કરાયો. તમાકૂ પર પણ વધારાનો ચાર્જ લગાવામાં આવશે. પેટ્રોલ-ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારોનો સેસ લગાવામાં આવ્યો. પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થશે.
5 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં
નાણાં પ્રધાને ઇન્કમ ટેકસ પર રાહત આપી છે. જેમાં હવે 5 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં લગાવામાં આવે. 2થી 5 કરોડની આવક પર 3 ટકા ટેક્સ લાગશે. સરકારે અમીરો પર ટેક્સમાં વધારો કર્યો છે. 5 થી 7 કરોડની આવક પર 7 ટકા સરચાર્જ લગાવાયો છે. મધ્યમ વર્ગના લોકો માટે ટેક્સમાં મોટી રાહતની જાહેરાત કરાઇ છે. સોનું અને કિંમતી ધાતુ પર 12.5 ટકા ટેક્સ લાગશે. સોનાની આયાત પર કસ્ટમ ડયૂટીમાં વધારો કરાયો.
વધુ રૂપિયા નીકાળશો તો આપવો પડશે ટેક્સ
જો કોઇ પણ વ્યક્તિ બેન્કમાંથી એક વર્ષમાં એક કરોડથી વધારે રકમ નીકાળશે તો 2 ટકા TDS લગાવામાં આવશે. એટલે કે 1 કરોડ રૂપિયાથી વધુ રકમ બહાર નિકાળવા પર 2 લાખ રૂપિયા ટેક્સમાં કપાશે.
ઇન્કમ ટેક્સ ભરનારાઓ માટે મોટી જાહેરાત
જેની પાસે પાન કાર્ડ નથી, એમને સરકારે મોટી રાહત આપી છે. હવે જ્યાં પણ ક્યાંય પાન કાર્ડની જાણકારી માંગવામાં આવશે, ત્યાં આધાર નંબર આપીને કામ પૂરું કરી શકાશે. ITR માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. હવે આધાર કાર્ડ દ્વારા પોતાનો ટેક્સ ભરી શકશે.
સસ્તા ઘરની ખરીદી પર સાડા ત્રણ લાખ સુધીની ટેક્સ છૂટ
વ્યાજ ચુકવણી પર ટેક્સમાં 2 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવતી હતી. પરંતુ હવે વધારે 31 માર્ચ 2020 સુધી લેવામાં આવેલી લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર ટેક્સમાં 1.5 લાખની વધુ છૂટ મળશે.
કંપનીઓ માટે મોટી જાહેરાત
હવે 400 કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપનીને રાહત આપવામાં આવી છે, હવે તેના પર 25 ટકા ટેક્સ લાગશે. જ્યારે અગાઉ 250 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની પર 25 ટકા ટેક્સ હતો. ઇ વાહનની ખરીદી પર ટેકસમાં રાહત મળશે. ઇ વાહનો પર GST 12 ટકા ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. આ સાથે સ્ટાર્ટ અપર માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે.
નવા સિક્કાની સીરીઝ લાવશે સરકાર
નાણાં પ્રધાને જાહેરાત કરી છે કે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા 1 લાખ કરોડ રૂપિયા ભેગા કરશે. જેમાં એર ઇન્ડિયામાં પણ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. આ સાથે સરકારે જાહેરાત કરી છે કે લેણ-દેણ કરનારી કંપનીઓને હવે સીધું RBI કન્ટ્રોલ કરશે. સરકારે 1 થી 20 રૂપિયાના નવા સિક્કાની જાહેરાત કરી છે. જેને જલ્દી લોકોની વચ્ચે જારી કરવામાં આવશે.
રોકાણ અને વિદેશ પર કેન્દ્ર સરકારની નજર
નાણાં પ્રધાને જાહેરાત કરી છે અમારી સરકાર વિદેશ નીતિ પર પણ જોર આપી રહી છે. જેના માટે સરકાર જ્યાં પણ આપણા દૂતાવાસ નથી તે દેશમાં દૂતાવાસ ખોલવા પર જોર આપશે. સરકાર નાણાકીય વર્ષ 2019-20માં અન્ય ચાર દૂતાવાસ ખોલવા ઇચ્છે છે. સરકારનું લક્ષ્ય બુનિયાદી સુવિધાઓ માટે 100 લાખ કરોડ રૂપિયા રોકાણનું છે.
NRI માટે સરકારની મોટી જાહેરાત
વિદેશમાં રહેનારા ભારતીયો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. હવે NRI આવતાની સાથે આધાર કાર્ડ આપવાની સુવિધા મળશે. હવે NRI ને 180 દિવસ સુધી ભારતમાં રહેવાની જરૂરિયાત નથી. અમારી સરકારનું લક્ષ્ય છે કે 17 પ્રવાસી સ્થળને વિશ્વની ઓળખ બનાવામાં આવે.
મહિલાઓ માટે અલગથી જાહેરાત
મહિલાઓ માટે મોદી સરકારે અલગથી જાહેરાત કરી છે. નાણાં પ્રધાને જાહેરાત કરી છે કે જનધન ખાતાધારકો મહિલાઓને 5000 રૂપિયાનો ઓવરડ્રાફટની સુવિધા આપવામાં આવશે. મહિલાઓ માટે અલગથી 1 લાખ રૂપિયાની મુદ્રા લોનની વ્યવસ્થા કરવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું કે મહિલાઓના વિકાસ વગર દેશનો વિકાસ થઇ શકે નહીં. વીજળીને લઇને કહ્યું કે અમારી સરકારે 36 કરોડ LED બલ્બની વહેંચણી કરી છે. જેના દ્વારા દેશના 18431 કરોડ રૂપિયા વાર્ષિક બચે છે. મોટા પાયે રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરવા જઇ રહ્યાં છે.
National Research Foundationની જાહેરાત
સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે અમે નવી શિક્ષા નીતિ લાવીશું. શિક્ષા નીતિ પર અનુસંધાન કેન્દ્ર પણ બનાવામાં આવશે. રાષ્ટ્રીય અનુસંધાન પ્રતિષ્ઠાન (National Research Foundation) બનાવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર ઉચ્ચ શિક્ષણ માટે 400 કરોડ રૂપિયાની જોગવાઇ કરશે. દુનિયાની ટોપ 200 કોલેજમાં ભારતની 3 કોલેજ છે. એવામાં સરકાર આ સંખ્યાના આંકડાને વધારવા પર જોર આપશે.
સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ બધાને મળશે લાભ
નાણાં પ્રધાને જાહેરાત કરતાં કહ્યું કે સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ હેઠળ મહિલાઓ, SC-ST ઉદ્યમીઓને લાભ આપવામાં આવશે. સ્ટાર્ટ અપ માટે ટીવી ચેનલ પર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું કે આવનાર પાંચ વર્ષમાં 125000 કીમી રોડ બનાવાનું આયોજન છે. તેના માટે 80 હજાર 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
દરેક લોકોને મળશે ઘરનું ઘર
નાણાં પ્રધાને કહ્યું કે અત્યાર સુધીમાં 26 લાખ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 24 લાખ લોકોને ઘર આપવામાં આવ્યાં છે. અમારું લક્ષ્ય 2022 સુધીમાં દરેક લોકોને ઘરનું ઘર આપવાનું છે. 2015-16માં આ યોજના હેઠળ ઘર બનાવવા માટે 314 દિવસ લાગતા હતા જે હવે 114 દિવસમાં બનશે. 95 ટકાથી વધારે શહેરોને ODF જાહેર કરાયાં છે. આજે 1 કરોડ લોકોના ફોનમાં સ્વચ્છ ભારત App છે. દેશમાં 1.95 કરોડ ઘર આપવાનું લક્ષ્ય છે.
જળ ક્ષેત્રમાં આવશે ક્રાંતિ
નાણાં પ્રધાને કહ્યું કે અમારી સરકાર પાણી માટે જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે. પાણી પૂરવઠાને લઇને લક્ષ્ય લાગુ કરવામાં આવી રહ્યું છે. 1500 બ્લોકની ઓળખ કરવામાં આવી છે. તેના દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. સરકારનું લક્ષ્ય 2024 સુધીમાં દરેક ઘરમાં પાણી પહોંચાડવાનું છે.
કૃષિ અને વેપાર ક્ષેત્રમાં ક્રાંતિ લાવીશું
પોતાના ભાષણમાં નાણાં મંત્રીએ જણાવ્યું કે ઝડપથી 100 નવા કલસ્ટર બનાવામાં આવશે. 20 પ્રોદ્યોગિકી બિઝનેસ ઇન્કયુબેટર સ્થાપિત કરવામાં આવશે. જેના દ્વારા 20 હજાર લોકોને સ્કિલ આપવામાં આવશે. નાણાં પ્રધાને જાહેરાત કરી કે કૃષિ આંતરમાળખામાં હવે રોકાણને પ્રાધાન્ય આપવામાં આવશે. 10 હજાર નવા કિસાન ઉત્પાદક સંઘ બનશે. દાળ મામલે દેશ આત્મનિર્ભર બન્યો છે. અમારુ લક્ષ્ય આયાત પર ઓછો ખર્ચ કરવા પર છે. આ સાથે ડેરીના કામકાજમાં પણ વધારો કરવામાં આવશે. અન્નદાતા હવે ઊર્જાદાતા પણ બની શકશે. ખેડૂતોને તેમની ઉપજની સાચી કિંમત આપવાનું અમારું લક્ષ્ય છે.
ગ્રામીણ ભારત પર સરકારનું રહેશે ફોકસ
નાણાં પ્રધાન સીતારમણે કહ્યું કે મહાત્મા ગાંધીનો વિચાર હતો કે ભારતની આત્મા ગામડાઓમાં વસે છે. અમારી સરકાર બધી યોજનામાં અંતોદય પર જોર આપી રહ્યું છે. અમારી સરકારના કાર્યોનું કેન્દ્ર બિન્દુ ગામડા, ખેડૂત અને ગરીબી છે. અમારુ લક્ષ્ય 2022 સુધીમાં દરેક ગામમાં વીજળી પહોંચાડવાનું છે. ઉજ્જવલ યોજના અને સૌભાગ્ય યોજના દ્વારા દેશમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે.
FDIને લઇને મોટી જાહેરાત
નાણાં પ્રધાને બજેટના ભાષણમાં કહ્યું કે મીડિયામાં પણ વિદેશી રોકાણની મર્યાદા વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મીડિયાની સાથે સાથે એવિએશન અને એનિમેશન સેકટરમાં પણ FDI પર વિચાર કરવામાં આવશે. આ સિવાયવીમા સેકટરમાં 100 ટકા FDI પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં એક મોટી તાકત તરીકે ઉભરી રહ્યો છે. અમારી સરકાર આ તાકાતને હજુ પણ વધારવા ઇચ્છી રહી છે અને સેટેલાઇટ લોન્ચ કરવાની ક્ષમતાને વધારશે.
નાના દુકાનદારોને મળશે પેન્શન
નાણાં પ્રધાને જાહેરાત કરતાં કહ્યું કે નાના દૂકાનદારોને પેન્શન આપવામાં આવશે. આ સાથે માત્ર 59 મિનીટમાં બધા દુકાનદારોને લોન આપવાની પણ યોજના છે. આ યોજનાનો લાભ 3 કરોડથી વધારે નાના દૂકાનદારોને મળી શકશે. આ સાથે અમારી સરકાર દરેક લોકોને ઘર આપવાની યોજના તરફ પણ આગળ વધી રહી છે.
નેશનલ ટ્રાન્સપોર્ટ કોર્ડની જાહેરાત
સરકાર તરફથી નેશનલ ટ્રાન્સપોર્ટ કોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેનો ઉપયોગ રેલવે અને બસમાં કરવામાં આવશે. તેને રૂપે કાર્ડની મદદથી ચલાવામાં આવશે. જેમાં બસની ટીકિટ, પાર્કિંગનો ખર્ચ, રેલવેની ટિકીટ વગેરે એક સાથે કરી શકાશે. આ સાથે સરકારે MROની ફોર્મ્યુલા અપનાવાની વાત કહી છે. જેમાં મેન્યુફેકચરિંગ, રિપેર અને ઓપરેટની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે.
રેલવે વિકાસ માટે લાગુ કરાશે PPP મોડલ
નાણાં પ્રધાને પોતાના બજેટમાં જણાવ્યું કે અમારું લક્ષ્ય રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ પર છે. અમારી સરકારનું હવે પછીનું લક્ષ્ય જળ રસ્તાને વધારવાનું છે. તેની સાથે જ વન નેશન, વન ગ્રિડ માટે આગળ વધી રહ્યાં છે, જેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. તેની સાથે જાહેરાત કરી કે સરકાર રેલવેમાં ખાનગી ભાગીદારીને વધારવા પર જોર આપશે. રેલવેના વિકાસ માટે PPP મોડલ લાગુ કરવામાં આવશે.
સંસદમાં જોવા મળ્યો નિર્મલા સીતારમણનો શાયરાના અંદાજ
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પોતાનું બજેટ રજૂ કરવા દરમિયાન એક શાયરી પણ કહી. જેમાં નિર્મલા સીતારમણે કહ્યું કે ભરોસો હોય તો કોઇપણ રસ્તો નિકળશે.... આ શાયરી મશૂહર શાયર મંજૂર હાશમીની છે.
અર્થવ્યવસ્થા મજબૂત બનાવીશું
સરકારી પ્રક્રિયાને સરળ બનાવીશું. ન્યૂ ઇન્ડિયાની તરફ આગળ વધી રહ્યાં છે. ડિજીટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાએ ભારતની તસવીર બદલી છે. ભારત વિશ્વની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારતીય અર્થવ્યવસ્થાને દુનિયાની મોટી અર્થ વ્યવસ્થા બનાવીશું.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યાં છે. ત્યારે પરંપરા મુજબ બજેટ રજૂ કરતાં પહેલા રાષ્ટ્રપતિને મળ્યાં હતાં. ત્યારબાદ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઉપસ્થિત રહ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં બજેટને મંજુરી આપવામાં આવી.
બજેટની કોપી સંસદ ભવન પહોંચી છે. જો કે આ વખતે એક કલાક મોડી બજેટની કોપી સંસદ ભવન પહોંચી હતી.
Delhi: Copies of #Budget2019 have been brought to the Parliament. Finance Minister Nirmala Sitharaman will present the Budget in Lok Sabha at 11 AM today. pic.twitter.com/Rmj4UJPteC
કેબિનેટની બેઠકમાં બજેટને મળી મંજૂરી
પીએમ મોદી ફરી સત્તામાં આવ્યા બાદ મોદી સરકારનું આજે પ્રથમ બજેટ રજૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બજેટને મંજુરી આપવામાં આવી છે. આમ કેબિનેટમાં બજેટને મળેલી મંજૂરી બાદ નાણાં પ્રધાન નિર્મલા સિતારમન સંસદમાં બજેટ રજૂ કરશે.
નિર્મલા સીતારમણે પરંપરા બદલી
બજેટ પહેલા નવી વાત જોવા મળી છે. આ વખતે સૂટકેશમાં બજેટ આવ્યું નથી. પરંતુ ચીફ ઇકોનોમિક એડવાઇઝર કે. સુબ્રમણ્યમે જણાવ્યું કે આ ભારતીય પરંપરા છે. અમે પશ્ચિમી સભ્યતાથી અલગ દેખાવા ઇચ્છીએ છીએ.
Chief Economic Advisor Krishnamurthy Subramanian on FM Nirmala Sitharaman keeping budget documents in four fold red cloth instead of a briefcase: It is in Indian tradition. It symbolizes our departure from slavery of Western thought. It is not a budget but a 'bahi khata'(ledger) pic.twitter.com/ZhXdmnfbvl
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
બજેટ રજૂ કરતાં પહેલા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ નાણાં પ્રધાન કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઉપસ્થિત રહેશે.
Rashtrapati Bhavan: As per tradition, Finance Minister Nirmala Sitharaman calls on President Ramnath Kovind before presenting the Union Budget pic.twitter.com/5vOMn9qj2H